SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિની “ખરતરવસહી’ ૨૫૧ બાજુ ભણસાળી જોગે કરાવેલ “અષ્ટાપદ અને ડાબી બાજુએ ધરણા સાથે કરાવેલ સંમેતશિખર' (ના ભદ્રપ્રાસાદોની) નોંધ લે છે : ૧૦ યથા : હવઈ ખરતરવસહી ભણી આવિલ નરપાલસાહની સ્થાપના એ સતોરણઉ પીતલમ) વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર કાસગીઆ પીત્તલ તણાએ. ૨૮ રંગમંડપિ નાગબંધ નિહાલ પૂતલિએ અંડપિ મન વાલી પંચાંગવીર વસેખીઈએ માલાખાડઈ મંડપ જાણું જિમણઈ અષ્ટાપદ) વખાણે ભણસાલી જોગઈ કીએ. ૨૯ ડાવઈ સમેતસિહર પ્રસીધુ તે પણિ ધરણઈસાહિ કીધઉ. ૩૦ (૫) પંદરમા શતકના ઉત્તરાર્ધ અને ૧૬માના પૂર્વાર્ધમાં થયેલા, ભાવહર્ષ-શિષ્ય રંગસારની ગિરનારચેત્યપરિપાટીમાં મુનિ યાત્રી તીર્થનાયક નેમિનાથના મંદિરને (દેવકુલિકામાં પરોવેલ) ઉત્તર દ્વારેથી નીચે ઊતરીને જે પહેલા મંદિર–હાલની મેરક વસહી– માં આવે છે તેને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં સંપ્રતિરાજાના કરાવેલ પિત્તળમય મનોહર વીર જિનેશ્વર, આજુબાજુની બાવન દેહરીઓ અને મંદિર ભીતરની અવનવી કારણીનો ઉલ્લેખ કરે છે : ઇણ ગિરઈએ નેમવિહાર આવીયા ખરતરવસહી વાર ૧રા ઢાલ સંપતિરાય કરાવિ મુણહર પીતલમઈ શ્રીવીર જિસેસર ખરતર(વ)સહી માટે પાખતીયાં બા(વ)ન જિણાલ નવલ નવલ કોરણીય નિહાલ ટાલઉ કુમતિ કસાય ll૧૩ રંગસાર પછી અને કાલક્રમમાં છેલ્લી નોંધ ૧૬મા-૧૭મા શતકમાં થયેલા(પ્રાગ્વાટ) કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત અંતર્ગત મળે છે. એમના કથનમાં મંદિરને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં મંડપની પૂતળીઓ, ડાબી બાજુ (નેમિનાથના મંદિર તરફ) “અષ્ટાપદ' અને જમણી બાજુ (કલ્યાણત્રયના મંદિરની દિશાએ) “નંદીશ્વર', ગભારામાં સંપ્રતિએ આણેલ સપ્તધાતુની તોરણ તેમ જ રત્નખચિત “જિનવીરની મૂર્તિ અને રત્નજડિત પરિકર તેમ જ આ મંદિર (અગાઉના) દુઃષમ ભવનને સ્થાને ભણસાલી નરપાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy