SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં ‘“કલ્યાણત્રય” ‘કલ્યાણત્રય’ અંગે કેટલાક વિશેષ સંદર્ભો પ્રાપ્ત થાય છે જે અહીં હવે રજૂ કરીશું. “ગિરનાર’ પરના એક સંવત્ નષ્ટ થયેલા ખંડિત લેખમાં ‘કલ્યાણત્રય’નો આગળના વિશેષ લુપ્ત સંદર્ભમાં ઉલ્લેખ આવે છે :૩૧ स्वस्ति श्री धृति नमः श्रीनेमिनाथाय ज वर्षे फाल्गुन शुदि ५ गुरौ श्री (यादवकुल) तिलकमहाराज श्रीमहीपाल (देव विजयराज्ये) वयरसिंह भार्या फाउसुत सा (सालिग) सुत सा. साईआ सा. मेला मेला जसुता रुडी गांगी प्रभृति (श्रीनेमि ) नाथप्रसादः कारितः प्रतष्टि (ठतं श्रीचंद्र ) सूरि तत्पट्टे श्रीमुनिसिंह ( सूरि ) Jain Education International - ..कल्याणत्रय (लि० ओ० ओ० रि० ई० बॉ० प्रे० पृ० ३५४) આમાં વંચાયેલ........ “તિલક મહારાજ શ્રીમહીપાલ”. .ભાગમાં મૂળે ‘‘(યાદ્રવત)તિજ્ઞ મહારાન શ્રી મહીપાત(દેવવિનય રાખ્યું)" હોઈ શકે છે અને તો તે ચૂડાસમા રા'મહીપાલદેવ(પ્રથમ)ના સમયનો, અને મોટે ભાગે ઈસ્વીસન્ની ૧૪મી શતાબ્દીના પ્રથમ ચરણનો, લેખ હોઈ શકે છે : અને જે પ્રાસાદ કરાવેલો તે......(નેમિ)નાથનો હોવો જોઈએ અને તો ત્યાં તૂટેલ ભાગ પછીથી આવતું ‘‘કલ્યાણત્રય’ એ પ્રસ્તુત લેખમાં જેનાં નામ આવે છે તે શ્રાવક-શ્રાવિકાઓએ મંત્રી ‘તેજપાળ'ના ‘કલ્યાણય'માંથી સ્વતંત્ર કરાવેલો હોવો જોઈએ. (હું માનું છું કે ચૈત્યપરિપાટીકારો તેમ જ સોમસૌભાગ્યકાવ્યના કર્તા પ્રતિષ્ઠાસોમ જેને લક્ષોબા કિંવા લખપતિ દ્વારા ગિરનારમાં કરાવેલ ચતુર્મુખ પ્રાસાદની વાત કરે છે તે ૧૫મા શતકના પ્રાસાદને સ્થાને અસલમાં આ મહીપાલદેવના સમયનો કલ્યાણત્રય પ્રાસાદ હશે. લક્ષોબાવાળો પ્રાસાદ હાલ મોજૂદ છે. અને તેમાં ચાર ઊંચી થાંભલીવાળી મહૂલી શી રચના છે, જેની અંતર્ગત મૂળે ‘કલ્યાણત્રય’ હશે.) ગિરનાર, આબૂ, કુંભારિયા સિવાય થોડાંક અન્ય સ્થળોએ પણ ‘કલ્યાણત્રય' હોવાનાં કેટલાંક સાહિત્યિક સાથ્યો ઉપલબ્ધ છે. એક કાળે એવી એક પ્રતિષ્ઠા શત્રુંજયગિર પરની ‘ખરતરવસહી’(ઈ. સ. ૧૩૨૫)માં હતી૨, અને મેવાડમાં આવેલા ‘દેલવાડા’(દેવકુલપાટક)ની ‘ખરતરવસહી'માં પણ હતી; આ દેલવાડાના ‘કલ્યાણત્રય’ વિષયક બે અપ્રકટ અજ્ઞાતકર્તૃક ૧૫મા સૈકાની ચૈત્યપરિપાટીઓમાંથી ઉદ્ધરણ અહીં ટાંકીશું૩૩ : ૨૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy