SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ૨ . નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પશ્ચિમ સીરજી ગયેતાદ્રિવાસમાં શાસનનું કહ્યું છે. લેખ દિગંબર સંપ્રદાયને લગતો છે. એનું વિશેષ પ્રમાણ ૧૨મી પંક્તિમાં મળી રહે છે : (ન્ન)સિંધે નેશ્વઃ વપૂર્વ રાધ્યા સાક્ષાતત: ગત્યાત્રા ! જોકે આ લેખના અવશિષ્ટ રહેલ ભાગમાં ક્યાંયે પ્રભાસનો સીધો ઉલ્લેખ નથી તોપણ એ કલ્પવું અઘરું નથી કે એવું જ “સોમેશ' શબ્દના પ્રયોગથી છત્રીસમી પંક્તિમાંથી સૂચન નીકળે છે : સીતાયાઃ સ્થાપના યત્ર સોમેશઃ પક્ષપાત કૃત // જુઓ D. B. DISKALKAR, Poona Orientalist, Vol. II, No. 4 (1938), p. 222 Bart avell 4492 V. P. JHOHRAPURKAR, Epigraphia Indica, Vol. XXXIII, July 1959 Plate III, pp. 117-120. આ પ્રતિમાના નાનપયથી કુષ્ટરોગ જતો હોવાનું શિલાલેખમાં જણાવ્યું છે. મદનકીર્તિરચિત શાસન-ચતુર્સિશિકા(૧૩મી સદીનો પૂર્વાધીમાં દિગંબર જૈનતીર્થોનું ટૂંકું વર્ણન કરેલું છે. તેમાં આ જ શ્લોક શબ્દશઃ આપેલો છે. સંભવ છે કે એ પ્રભાસના ચંદ્રપ્રભને ઉદ્દેશીને કહેવાયું હશે. એમ છતાં દિગંબર સાહિત્યમાં પ્રભાસના ચંદ્રપ્રભને લગતો કોઈ ઉલ્લેખ નથી, એવું સ્વ પંડિત નાથુરામ પ્રેમીજીએ પત્ર દ્વારા પ્રથમ લેખકને જણાવેલું. ૪. હ. . શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃષ્ઠ ૧૫૯-૬૦. - પ. પ્રબંધકોશ અંતર્ગત “ “બપ્પભક્ટિ-પ્રબંધ”. ૬. શ્રી સારાભાઈ નવાબે ભારતીય જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્યમાં આ પ્રતિમાનું ચિત્ર પ્રગટ કર્યું છે (ચિત્ર ૩૨), આ પ્રતિમા પશ્ચિમ ભારતની ધાતુપ્રતિમાવિધાન-પ્રણાલીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી છે. એના નીચેના ખંડમાં પદ્મપીઠિકા પર ગરુડાસના દેવી ચક્રેશ્વરી શોભી રહ્યાં છે. એમના હસ્તોમાં અનુક્રમે માલા, ચક્ર, અને શંખ રહેલાં છે. ફરતું સુંદર પરિકર્મ ભદ્રભાગે સ્થિત છે. એમના વામપક્ષે શિશુ અને આશ્રલંબી-ધારી પક્ષી અંબિકા ઘટાટોપ નીચે ઊભેલાં જણાય છે, જયારે દક્ષિણ પશે માલાધારિણી ઊભેલી જણાય છે. ઉપરના ખંડમાં ભદ્રપીઠ પર કાયોત્સર્ગમાં સ્થિર જિનેશ્વરની અત્યંત પ્રભાવશાળી પ્રતિમા રહેલી છે. એમની ધોતી પરની સળી અને ગ્રંથિબંધ પશ્ચિમ ભારતની શિલ્પપ્રથાના જાણે કે અંતિમ અવશેષરૂપે ઉપસ્થિત છે. પગ પાસે બંને બાજુ વાહિકો ત્રિભંગમાં ઊભાં રહેલાં છે, જયારે પરિકરની ખંભિકાઓમાં ઉભય પક્ષે ત્રણ ત્રણ કાયોત્સર્ગ જિનની પ્રતિમાઓ પરિકમમંડિત શોભી રહી છે. મુખ્ય જિન-પ્રતિમાના શિર પર મુક્તાદામયુક્ત છત્રય રહેલું છે, જ્યારે મસ્તકની બન્ને બાજુએ ગગનગામી માલધરો દષ્ટિગોચર થાય છે. દક્ષિણ પક્ષની પાર્થતંભિકા પર ગજ અને વ્યાલ શિરોભાગે રહેલાં છે. એ જ પ્રમાણે વામપક્ષે મકર અને વ્યાલ આવી રહેલાં છે. છત્રત્રયની આજુબાજુ ગજા રૂઢ હિરયેન્દ્રો નિયમાનુસાર ઉપસ્થિત છે. આ પરિકરયુક્ત સમસ્ત પ્રતિમાવિધાન બેનમૂન કહી શકાય તેવું છે. ૭. પ્ર. ચિંટ અંતર્ગત “દેવબોધિ-પ્રબંધ”. ૮. સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્યે આ બે પૈકીના સંવત ૧૨૪૦(ઈ. સ. ૧૧૮૪)ના લેખનો નિર્દેશ વૉટ્સન મ્યુઝિયમના ૧૯૦૫-૬ના વાર્ષિક અહેવાલમાં કર્યો છે; જ્યારે ઈ. સ. ૧૧૬૪વાળો લેખ દ્વિતીય લેખકે ચંદ્રપ્રભ જિનાલયના ભૂમિગૃહમાં જોયેલો. ૯. કીર્તિકૌમુદી સર્ગ ૯ + ૭૦. ૧૦. વસંતવિલાસ સર્ગ ૧૧. ૧૧. પ્ર. ચિ, સર્ગ ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy