SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઈ. સ. ૧૩૦૫)માં સિદ્ધરાજે સોરઠ વિજય પશ્ચાત્ (ઈ. સ. ૧૧૧૫) સોરઠમાં દંડનાયક રૂપે નીમેલા શ્રીમાલવંશીય સજ્જનને અન્યથા “જાંબવંશજ' કહ્યો છે : અન્યથા પણ વનરાજ ચાવડાના મંત્રીનું નામ પણ જાંબ (કે જંબ) હતું એટલે એમ માનવાને કારણ હતું કે સર્જન જાંબનો વંશ જ હોવાનું સંભવી શકે નહીં, પરંતુ આ ઐરવાડાના લેખનો “જંબ'—જે મૂળરાજનો મંત્રી હોવાનું નિર્દેશિત થાય છે તે સજ્જનનો પૂર્વજ હોવાનો સંભવ કલ્પવામાં વાંધો નથી. અલબત્ત, લેખમાં જંબની જ્ઞાતિવિષયક નોંધ નથી લેવામાં આવી; પણ તે શ્રીમાળી જ્ઞાતિનો હોવાનું અસંભવિત પણ નથી. જંબના પુત્ર વર્ધમાનની મિતિ ઈ. સ. ૧૦૫૧ની છે, તે જોતાં એમ લાગે છે કે જેઓ મૂળરાજના અંતિમ દશકના અરસામાં મંત્રી બન્યો હોય અને વર્ધમાને જિનપ્રતિમા તેની મોટી ઉંમરે ભરાવી હોય. જો દંડનાયક સર્જન અને વર્ધમાન વચ્ચે ખૂટતી બેએક પેઢીનાં નામ મળી આવે તો સજ્જનનું પૂરું વંશવૃક્ષ બની શકે : . (મંત્રી) જંબ (જંબક, જાંબ) ઠ વર્ધમાન (ઈ. સ. ૧૦૫૧) દંડનાયક સજ્જન (ઈ. સ. ૧૧૨૯ યા ૧૧૨૦) દંડનાયક પરશુરામ અભિલેખ આમ એક વિખ્યાત જૈન પરિવારના પૂર્વજ પર પ્રકાશ પાડતો હોઈ મહત્ત્વનો છે. ટિપ્પણો: ૧. “પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય”, (૧) “પ્રાચીન લેખ સંગ્રહ” (ત્રણ લેખો), શ્રી જૈન સત્યપ્રકાશ, ૨.૧૧.૯, પૃ. ૫૦૭. ૨. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૭૦. ૩. “સજ્જન મંત્રી વનરાજ ચાવડા મંત્રી જંબનો વંશજ હતો એમ પણ પ્રબંધો કહે છે, પરંતુ એવી દંતકથા વિ. સં.ના ચૌદમા શતકમાં પ્રચલિત હતી એથી વધારે અર્થ એમાંથી કાઢવાની જરૂર નથી.” (શાસ્ત્રી. પૃ૦ ૭૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy