SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ અને કુમારવિહારો છે. આ પહેલાંનો ઉલ્લેખ વસ્તુપાળના સમકાલીન શ્રી નરેન્દ્રપ્રભસૂરિએ રચેલ પ્રશસ્તિમાંથી મળે છે. એમાં કહ્યા પ્રમાણે વસ્તુપાલે ત્યાં ‘કુમારવિહાર'માં પાર્શ્વનાથ અને મહાવી૨ની પ્રતિષ્ઠા કરાવેલીપર. સૌરાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલાં બે'એક ગામોમાં ‘કુમારવિહાર’ બંધાયાના પરોક્ષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૧૦, મંડલિ નોંધ્યું છે. ૧૧. ધંધુક્ક ૧૫૯ સચિવેશ્વર વસ્તુપાલે માંડલના ‘કુમાર વિહાર'નો ઉદ્ધાર કરાવ્યાનું જિનહર્ષે આચાર્ય હેમચંદ્રની જન્મભૂમિ ધંધુકામાં કુમારપાળે ‘ઝોલિકાવિહાર' કરાવ્યાનો મેરુતુંગાચાર્યે ઉલ્લેખ કર્યો છે૫૪. ‘જિનહર્ષ'ના કથન અનુસાર વસ્તુપાલે ધંધુકાના ‘કુમારવિહાર’નો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવી પ્રાસાદના શિખર પર હેમકુંભ મુકાવેલા : સંભવ છે કે આ ‘ઝોલિકાવિહાર’નું જ અપરનામ ‘કુમારવિહાર' હોય. સૌરાષ્ટ્ર-પંથકમાં પણ કેટલાંક ગામોમાં ‘કુમારવિહારો' સ્થપાયેલા. 1: અહીં શત્રુંજયના ‘કુમારવિહાર'ની પરંપરા વિશે થોડો વિચાર કરવો પ્રાપ્ત છે. જૈન તીર્થોમાં પવિત્રતમ મનાતા શત્રુંજય તેમ જ ગિરનાર પર્વત પર કુમારપાળે જિનભવનો કરાવ્યાં હોવાની અપેક્ષા રાખી શકાય : અને પરંપરા પ્રમાણે શત્રુંજય પર હાથીપોળ પાસે અને ગિરનાર પર્વત પર જૈન ટૂંકોમાં છેલ્લી કુમારપાળની ટૂક બતાવવામાં આવે છે, પણ આ બન્ને મંદિરો પાછોતરા કાળનાં છે અને ઉત્કીર્ણ લેખ કે પુરાણા સાહિત્યમાંથી ગિરનાર પર ‘કુમારવિહાર' હોવાનું પ્રમાણ હજી સુધી તો જડ્યું નથી. અને શત્રુંજય પરનો ‘કુમારવિહાર' તો કુમારપાલ નામક શ્રેષ્ઠીકારિત હોય તેમ જણાય છેપ.. પણ સૌરાષ્ટ્રમાં બીજે કેટલેક સ્થળે ‘કુમારવિહાર' સંજ્ઞક મંદિરો હતાં કે નહીં એને વિશે હવે જોઈએ. ૧૨. પાદલિપ્તપુર Jain Education International પાલીતાણામાં ‘કુમારવિહાર' હોવાના ત્રણ ઉલ્લેખો તીર્થ સંબંધી સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિ-શિષ્ય જિનતિલકસૂરિની ૧૪મા શતકના અંતભાગે રચેલ “ચૈત્યપરિપાટીસ્તવન”માં પાલીતાણાના ‘કુમારવિહાર'ના પાર્શ્વનાથનો ઉલ્લેખ થયેલો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy