SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઉલ્લેખ નથી, પણ ઉપર ચર્ચ્યા તે પુરાણાં સાહિત્યિક પ્રમાણો લક્ષમાં લેતાં, તેમ જ મેરુ જાતિનું ભવ્ય મંદિર ક્ષત્રિય રાજા સિવાય બીજો કોઈ બંધાવી ન શકે એવું વાસ્તુશાસ્ત્રનું વચન જોતાં તારંગાનું મંદિર કુમારપાળે જ બંધાવેલું એમાં કોઈ શક નથી. મંદિરની સ્થાપત્ય તેમ જ શિલ્પની શૈલી પણ કુમારપાળનો કાળ સૂચવે છે. ૧૫૬ તારંગાનું કુમારપાળનિર્મિત આ અજિતનાથ સ્વામી ચૈત્ય હજુ ઊભું છે. શ્રેષ્ઠી ગોવિંદે સોમસુંદરસૂરિને હાથે એમાં પુનઃપ્રતિષ્ઠા કરાવ્યાનું પ્રતિષ્ઠાસોમ પોતાના સોમસૌભાગ્યકાવ્ય(વિ. સં. ૧૫૫૪ / ઈ. સ. ૧૪૯૮)માં નોંધે છે. આ પ્રતિષ્ઠા કર્યાનું વર્ષ વિ. સં. ૧૪૭૯ ઈ. સ. ૧૪૨૩ હોવાનું અન્ય સાધન દ્વારા જાણવા મળ્યુ છે૪. જીર્ણોદ્ધારમાં જો કે નવ ભારપટ્ટ ચડાવવા સિવાય અને મૂલનાયકની આરાસણના પથ્થરની નવી પ્રતિમા કરાવ્યા સિવાય બીજો કોઈ ખાસ સુધારો વધારો કર્યો હોવાનું જણાતું નથી. લગભગ ૭૪ ફૂટનો વ્યાસ ધરાવતા, સાંધાર છંદના મૂલપ્રાસાદવાળા અજિતનાથનું આ ભવન પશ્ચિમ ભારતમાં મરુ-ગૂર્જર શૈલીનાં અસ્તિત્વમાન મંદિરોમાં સૌથી મોટું અને પ્રોક્ષત છે. એની પીઠમાં જો કે અશ્વપીઠાદિની રચના નથી, પણ મંડોવર ઘણો ઊંચો, બેવડી જંઘાવાળો છે. એમાં દિક્પાલો, સુરસુંદરીઓ ઉપરાંત જૈન યક્ષયક્ષીઓનાં રૂપ કંડારેલાં છેપ. ૩. ઇલાદુર્ગ ઈડરના ડુંગર પર પણ કુમારપાળે જિનભવન નિર્માવેલું. એમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. ખરતરગચ્છીય જિનપતિસૂરિ(વિ. સં. ૧૨૧૦-૭૭ / ઈ. સ. ૧૧૫૪-૧૨૨૩)ની “અષ્ટોત્તરી તીર્થમાળા''માં ઉલ્લેખ મળે છે કે કરીિ નિવિષ્ટ ચૌતુસાધિપારિત નિમં પ્રથમમ્।* પણ આ ચૌલુક્યાધિપ કોણ—સિદ્ધરાજ, કુમારપાળ કે અન્ય કોઈ સોલંકીરાજ— એની વિશેષ સ્પષ્ટતા તો એ પછીના કાળના સાહિત્યમાં મળે છે, જેમ કે મુનિસુંદરસૂરિએ ૧૫મા શતકના દ્વિતીય ચરણમાં રચેલ ઈડરના ઋષભદેવના સ્તવનમાં એ મંદિ૨ કુમારપાળે કરાવ્યાનું અને સાહુ ગોવિંદે એનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ કર્યો છે×. એ જ પ્રમાણે પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્યકાવ્ય(વિ. સં. ૧૫૨૪ ૨ ઈ. સ. ૧૪૬૮)માં પણ ગોવિંદ શ્રેષ્ઠીએ ઈડરગઢમાં મહારાજ કુમારપાળે બંધાવેલ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એવો ઉલ્લેખ મળે છેo. (આ સંઘપતિ ગોવિંદ એ જ છે કે જેમણે તારંગામાં અજિતનાથ ચૈત્યનો ઉદ્ઘાર કરાવેલો.) આ સિવાય લક્ષ્મીસાગરસૂરિના પ્રશિષ્ય સોમચારિત્રે વિ સં ૧૫૪૧ / ઈ. સ. ૧૪૮૫માં રચેલ ગુરુગુણરત્નાકરકાવ્યમાં સંઘપતિ રત્નાએ કરેલ તીર્થયાત્રા દરમિયાન સંઘ ઈડર આવ્યો ને ત્યાં કુમારપાળે કરાવેલા પ્રાસાદનાં દર્શન કર્યાં એવો ઉલ્લેખ મળે છે. લક્ષ્મીસાગરસૂરિના સમુદાયના સુધાનંદનસૂરિના કોઈ શિષ્યે ઈડરગઢચૈત્યપરિપાટી રચી છે તેમાં કુમારપાળે ગઢ પર પ્રાસાદ કરાવી એમાં આદિનાથની પ્રતિમા ભરાવી ને જાણે-અજાણે સૌ કોઈ એ કારણસર એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy