SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ લખ્યું છે. પણ મૂળરાજ પરમ શિવભક્ત હોવાથી એણે જૈન ધર્મસ્થાન ઊભું કર્યું હોવાનો સંભવ નથી, પણ ગેઝિટિયરમાં તર્ક કર્યો છે તેમ પાટણમાં કોઈ જૈન ગૃહસ્થ કે જૈન સંઘે મૂળરાજના નામથી જૈન મંદિર બંધાવ્યું હોય તો એ સંભવ છે. વળી મૂળરાજના યુવરાજ ચામુંડે બધા ધર્મોનું સમાન વૃત્તિથી પાલન કરવાના જૂના કાળથી ચાલ્યા આવતા રાજધર્મને અનુસરી જૈન મંદિરને ધૂપ, માલા વગેરે માટે એક ખેતરનું દાન આપ્યાનું વિ. સં. ૧૦૩૩ના દાનપત્રમાં કહ્યું છે એ હકીકત ઉપરના તર્કને ટેકો આપે છે.” ૨. મુંબઈ ગેઝિટિયર, ઝં. ૧, ભા. ૧, પૃ ૧૬૧ ૩. “ગુ ઐ, લે, ભા. ૩ લેટ નં. ૧૩૬ અ' (શાસ્ત્રી, પૃ. ૧૭૫). એમ જણાય છે કે શાસ્ત્રીજીએ આ સંબંધમાં પૂરતી ગવેષણા ચલાવી નથી અને પોતાના જૈન દ્વેષનું શમન મૂળરાજની પરમ શિવભક્તિની પડછે કર્યું છે ! મેરૂતુંગાચાર્યનો મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે : तेन राज्ञा श्रीपत्तने श्रीमुलराजवसहिका कारित, श्रीमुआलदेवस्वामिनः प्रासादश्च । મેરતુંગાચાર્યે સોલંકી રાજાઓનાં બાંધકામો વિશે જે માહિતી આપી છે તે પૂર્વ સાધનોના પરીક્ષણ બાદ જ આપેલી જણાય છે અને તે વિશ્વસ્ત છે. મૂળરાજે બનાવેલ આ જૈન મંદિર સંબંધમાં મેરૂતુંગાચાર્યથી પછીના તેમ જ પૂર્વના કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે હવે જોઈએ : (4) વસ્તુપાલચરિત્ર(સં. ૧૪૯૭ ! ઈ. સ. ૧૪૪૧)માં મંત્રીશ્વર વસ્તુપાલે શ્રીપત્તનના “મૂલનાથજિનદેવના મંદિર પર કલશ ચઢાવ્યાનો ઉલ્લેખ છે. આ ઘટના ઈ. સ. ૧૨૨૫-૩૦ના ગાળામાં બની હશે. જો કે આ ગ્રંથ પ્રબંધચિંતામણિ પછીનો છે, પણ જિનહર્ષગણિ લેખન માટે આગળના સ્રોતોનો આધાર લેતા હોવાનું જાણમાં હોઈ આ વાત શ્રદ્ધેય છે.) (મા)પ્રભાસપાટણના હાલ વિનષ્ટ થયેલા, દિગંબર સંપ્રદાયના જિનચંદ્રપ્રભના મંદિરના પુનરુદ્ધારના ભીમદેવ દ્વિતીયના સમયના, સં. ૧૨(પ?)+ની સાલ ધરાવતા, લેખમાં પ્રશસ્તિકાર હેમસૂરિ પોતાની ગુર્નાવલી આપતાં, પોતાનાથી થયેલ છઠ્ઠી પેઢીના વિદ્યાપૂર્વજ કીર્તિસૂરિ ચિત્રકૂટથી નીકળી અણહિલવાડ પાટણ ગયાનો, ને ત્યાં રાજાએ તેમનું બહુમાન કરી તેમને મંડલાચાર્યનું બિરુદ આપ્યાનું તથા છત્ર અને સુખાસન આપ્યાનું કહ્યું છે, અને તે સંદર્ભમાં “મૂલવસતિકા ભવન'નો ઉલ્લેખ આવે છે; ત્યાં જો કે લેખ ખંડિત થયેલો હોઈ તે કોણે કરાવ્યું તે એકદમ સ્પષ્ટ થતું નથી : યથા : ... ... ... ... નીંદ્રાય સતી 39: !. बिरुदं मंडलाचार्य, सच्छछत्रं ससुखासनं ॥२३।। श्रीमूलवसं( स )तिकाख्यं जिनभवनं तत्र... સંધૈવ યતીશ્વ: | See D. B. Diskalkar, Poona Orientalist, Vol. II, No. 4, p. 222, Jan. 1938, તથા આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, મુંબઈ, ૧૯૪૫, ૫, ૧૯૪; and Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy