SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ જે સમર્થન પ્રાપ્ત છે તે શાસ્ત્રીજી મૂળ વાતમાં કહેવાને બદલે પાદટીપમાં હડસેલી દબાવી દે છે; અને તેના પર કશી જ ટીકા-ટિપ્પણ કરતા નથી કે નથી તેનું ત્યાં આધારરૂપે ટાંકવાનું પ્રયોજન કે મૂલ્ય બતાવતા ! વિશુદ્ધ ઇતિહાસ-સંશોધન ખાતર અહીં સત્ય શું છે તે જોવા યત્ન કરવો આથી જરૂરી બની રહે છે. જૈન પ્રબંધાદિ સાહિત્યમાં પ્રસિદ્ધ બ્રાહ્મણીય તીર્થો-દેવસ્થાનોના પ્રાસંગિક ઉલ્લેખો આવે છે; પણ બ્રાહ્મણીય સાહિત્ય જૈન તીર્થો કે જૈન મંદિરોનો જરા સરખો પણ નિર્દેશ કરતું નથી; એટલે મધ્યકાલીન હોવા છતાં સરસ્વતીપુરાણ કે સ્કંદપુરાણમાં સિદ્ધરાજકારિત જૈન મંદિરોની શોધ ચલાવવી વ્યર્થ છે; પણ જૈન મંદિરો વિશે જૈન સ્રોતોમાંથી માહિતી મળતી હોઈ તેનો જ આધાર અહીં લઈશું. બીજી બાજુ મુસ્લિમ આક્રમણો સમય અને પછીથી થયેલા પુનરુદ્ધારને પ્રતાપે પ્રાચીન શિલાલેખો, તામ્રશાસનો આદિ બહુમૂલ્ય સામગ્રી તેમ જ ઘણા કિસ્સાઓમાં શિલ્પસ્થાપત્યનાં પ્રમાણો પણ સમૂળગાં નષ્ટ થઈ ચૂક્યાં છે. આથી પ્રમાણભૂત હોય તેવાં વાયિક સાધનો પર જ આજે તો ગવેષણામાં સર્વાશે આધાર રાખવો પડે છે. સિદ્ધરાજે સરસ્વતીને તીરે “અંતિમ અતિ'(ચરમતીર્થકર મહાવીર)નું ચૈત્ય બંધાવ્યાનો સમકાલીન લેખક હેમચંદ્રાચાર્યે યાશ્રયકાવ્યમાં વ્યાકરણ-સૂત્રોને વણી લેવાની સાથે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે : યથા कैतवायनितैकायन्यर्हे सिद्धपुरे थ सः प्राच्यास्तीरे सरस्वत्याश्चके रुद्रमहालयम् ॥१५॥ दागव्यायनिकौशल्यानिच्छाग्यायनीन्पथि । स्थापयन्विदधे चैत्यं तत्रैवान्त्यस्य सोर्हतः ॥१६॥ આમાં આ ચૈત્ય “એની જૈન વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થ બંધાવ્યું એવા તર્ક તરફ દોરી શકે તેવો જરા સરખો પણ ઇશારો નથી ! આ પછી ઉપરકથિત સોમપ્રભાચાર્યના સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫માં રચાયેલ, પ્રાકૃતભાષાનિબદ્ધ જિનધર્મપ્રતિબોધમાં સિદ્ધપુરના (એ) ચૈત્યનું નામ સ્પષ્ટતયા “સિદ્ધવિહાર' આપ્યું છે અને વિશેષમાં તે “ચાર પ્રતિમાયુક્ત' હોવાનો કહ્યું છે. આ સિવાય સિદ્ધરાજે પાટણમાં “રાયવિહાર' કરાવ્યાનું કહ્યું છે, જો કે તેની વિશેષ વિગત સૂરિ ત્યાં આપતા નથી : યથા जयसिंहनिवो जाओ जिणिंद-धम्मगुरत्त-मणो ।। तत्तो तेणित्थ पुरे रायविहारो करविओ रम्मो । ૩-નિ-પતિ-સમિદ્ધિો સિવિદારો ય સિદ્ધપુરે ! –વિનધતિલોક ૨ / ૨૬૨'-૨૭૦'' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy