SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીની કેટલીક સમસ્યાઓ તેમાં થેયલી સાફસફાઈ બાદ આ હસ્તિશાળા મૂળે વિમલમંત્રીએ કરાવ્યો હશે તે નાના રંગમંડપ સરખો, પૂર્વ-પશ્ચિમે દ્વારવાળો ‘આસ્થાનમંડપ' હોવાનું પ્રગટ થયું છે. અને હવે આખરી પ્રશ્ન રહે છે હસ્તિશાલા અને વિમલવસહીના પ્રવેશચોકીને જોડતા પ્રવેશમંડપના કાળનો. આનો ઉત્તર મુનિશ્રી જયંતવિજયજીએ ચોક્કસ પ્રમાણ સાથે દઈ દીધો હોઈ તેમના શબ્દોમાં જ તે રજૂ કરી લેખની સમાપ્તિ કરીશું : “વિમલવસહી મંદિરના મુખ્ય દરવાજાની અને હસ્તિશાળાની વચ્ચે એક મોટો સભામંડપ છે. તે કોણે અને ક્યારે કરાવ્યો તે સંબંધી કાંઈ જાણી શકાયું નથી. હસ્તિશાળાની સાથે તો નહીં જ બન્યો હોય એમ લાગે છે; કારણ કે ‘હીરસૌભાગ્ય મહાકાવ્ય' ઉપરથી જણાય છે કે—વિ સં. ૧૬૩૯માં જગપૂજ્ય શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરજી અહીં યાત્રા કરવા પધાર્યા, ત્યારે વિમલવસહીના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં કઠેડાવાળી સીડી-દાદરો હતો. હસ્તિશાળા અને વિમલવસહીની વચ્ચેના સભામંડપનું તેમાં જરાપણ વર્ણન નથી. મંદિરના બીજા ભાગોના વર્ણન સાથે મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં કઠેડાવાળા દાદરાનું વર્ણન આવે છે, તેથી જણાય છે કે—આ મંડપ વિ. સં. ૧૬૩૯ની પછી અને વિ સં ૧૮૨૧ની પહેલાં વચ્ચેના સમયમાં બનેલો છે.' શૈલીની દૃષ્ટિએ સભામંડપનો વિતાન ૧૭મી સદી દર્શાવતો હોઈ સભામંડપ પણ ૧૭મીનો જ માનવો જોઈએ. આ મંડપની રચના વર્ષાઋતુ વખતે પડતી અગવડ દૂર કરવા માટે થઈ હશે તેમ લાગે છે. મંડપ સાદો અને લાલિત્યવિહોણો હોઈ તે અંગે કશું કહેવાપણું રહેતું નથી. Ye નિ ઐ ભા૰ ૨-૧૫ Jain Education International ૧૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy