SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સમંતભદ્રનો સમય ભારતીય દાર્શનિક ક્ષેત્રે થઈ ગયેલી ગણીગાંઠી પ્રકાશમાન વિભૂતિઓમાં નિર્ઝન્ય પક્ષે બે નામો મોખરે રહે છે : સિદ્ધસેન દિવાકર અને સ્વામી સમંતભદ્ર. આમાં (આદિ) સિદ્ધસેનનો કવિકર્મકાલ ગુપ્તયુગના પૂર્વાર્ધમાં હોવાનું હવે લગભગ સુનિશ્ચિત છે; પણ સમંતભદ્રના વિષયે તેમ કહી શકાય એવું નથી. એમનો સમય જુદા જુદા વિદ્વાનો દ્વારા ઈસ્વીસન્ પૂર્વેની પ્રથમ શતાબ્દીથી લઈ ઈસ્વીસન્ની આઠમી સદીના પ્રથમ ચરણ પર્યંતના ગાળામાં અનુમાનવામાં આવ્યો છે. એમની વિદ્યમાનતા સંબંધમાં રજૂ કરવામાં આવેલો આ સંભાવ્ય સમયપટ ખેદજનક અનિશ્ચિતતાનો દ્યોતક હોવા ઉપરાંત વ્યાપની દષ્ટિએ વધુ પડતો પ્રલંબ કહી શકાય. આથી સાંપ્રત લેખમાં એમના સમય-વિનિશ્ચય માટે યત્ન કરી જોવા વિચાર્યું છે. સ્વામી સમતભદ્ર નિર્ઝન્થોના દક્ષિણ ભારત સ્થિત દિગંબર આમ્નાયમાં (કદાચ દ્રાવિડ સંઘમાં ?) થઈ ગયા છે તે વાત પર અલબત્ત વિદ્વાનોમાં સાધારણતયા સહમતિ છે. તેમનું અદ્યાવધિ પ્રાપ્ત સાહિત્ય સંસ્કૃત પદ્યમાં જ, અને તે સ્તોત્રાત્મક હોવા ઉપરાંત પ્રધાનતયા તત્ત્વપરક છે. એમની રચનાઓમાં સ્વયંભૂસ્તોત્ર, સ્તુતિવિદ્યા (અમરનામ જિનમ્નતિશતક), યુજ્યનુશાસન (અપરનામ વીરજિનસ્તોત્ર), અને દેવાગમસ્તોત્ર (અપરનામ આપ્તમીમાંસા) હાલ પ્રાપ્ય તેમ જ સુવિદ્યુત છે”. પ્રસ્તુત રચનાઓમાં આમ તો અહમ્મુક્તિ કેન્દ્રસ્થ રહી છે, પરંતુ તેમનો અભિગમ પ્રધાનતયા દાર્શનિક, નયનિષ્ઠ, યુજ્જવલંબિત, અને એથી પ્રમાણપ્રવિણ રહ્યો છે. સંસ્કૃત ભાષા, શબ્દ, કાવ્ય, અને છંદાલંકારાદિનું સારું એવું નૈપુણ્ય ધરાવતા હોવા અતિરિક્ત સમંતભદ્ર એક બુદ્ધિમત્તાસંપન્ન વાદીન્દ્ર એવું પ્રકાંડ દાર્શનિક પંડિત હોઈ એમની કવિતામાં કાવ્યતત્ત્વ અને ભક્તિસત્ત્વ અતિરિક્ત (અને કેટલાંયે દૃષ્ટાંતોમાં તો અધિકતર માત્રામાં) નિર્ઝન્યપ્રવણ ન્યાય અને દર્શનનાં વિભાવો તથા ગૃહીતો અવિચ્છિન્ન રૂપે વણાયાં છે. (કચિંતાનો વિશેષ કરીને આ રીતે જ ઉપયોગ થવો જોઈએ એવો કંઈક આગ્રહ, સિદ્ધસેન દિવાકરની રચનાઓની જેમ, તેમની કૃતિઓમાંથી પણ ટપકતો દેખાય છે.) આ કારણસર સંસ્કૃત સાહિત્યના તજજ્ઞો અને કાવ્યશાસ્ત્રના પંડિતોને જો જૈનદર્શનનું (તેમ જ સાથે જ બૌદ્ધ, વૈશેષિક, મીમાંસાદિ દર્શનોનું) તલાવગાહી અને સર્વાર્થગ્રાહી જ્ઞાન ન હોય તો સમંતભદ્રનાં સ્તોત્ર-કાવ્યોનો યથાર્થરૂપે આસ્વાદ લેવાનું તો બાજુએ રહ્યું પણ તેમાં ગુંફિત ગૂઢ તત્ત્વોને બિલકુલેય સમજી નહીં શકે. સ્વયં જૈન પંડિતો પણ આમાં અપવાદ નથી. સમતભદ્રનાં સ્તુતિકાવ્યોના કેટલાયે ખંડોનો મધ્યકાલીન ટીકાઓની મદદ વિના મર્મ પામવો અશક્ય છે" તત્ત્વનિષ્ઠ, દુર્બોધ, અને કેટલાક કિસ્સાઓમાં એકાક્ષર-યમક સહિત કેટલાય અઘરા પ્રકારના યમકો, તેમ જ ચિત્રબદ્ધ પદ્યો તથા કઠિન શબ્દાલંકારો-છંદાલંકારોથી જટિલ બની ગયેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy