SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર-મંગલ' અસલી વિભાવ અને વિભાવનાની વાત બહુ થોડી વ્યક્તિઓને ગળે ઊતરી શકે : સંપ્રદાયમાં તેનો સ્વાભાવિક જ સ્વીકાર થઈ શકે નહીં. મધ્યકાળથી ‘નમસ્કાર મંગલ’ ‘નવકાર-મંત્ર’માં પરિણીત થઈ જવાથી મંગલનો મૂલ આશય જ પલટાઈ ગયો છે અને તેમાં નવા જ અર્થો રૂઢ થઈ ચૂક્યા છે, એટલે એ સ્થિતિમાં હવે ફેરફાર થઈ શકે નહીં, કે ન તો આ લેખ લખવામાં એવો હેતુ સન્નિહિત છે. અહીં તો કેવળ ઐતિહાસિક દૃષ્ટિએ ઉપલબ્ધ પ્રમાણોના આધારે આ વિષય પર વિચાર કરી જોયો છે૪. ૧૩ ઉપસંહાર ઉપરની સમીક્ષામાંથી નીપજતાં તારતમ્યો સાર રૂપે નીચે મુજબ ઘટાવી શકાય : (૧) અતિ પ્રસિદ્ધ અને પ્રચલિત ‘નમસ્કાર-મંગલ' કિંવા ‘પંચપરમેષ્ઠી-નમસ્કાર' પ્રાચીન કાળે એક યા બે પદો જ ધરાવતું હતું તેમ પ્રાચીનતમ, પ્રાયઃ ૨૨૦૦-૧૭૦૦ વર્ષ પૂર્વેના, શિલાભિલેખોના આધારે કહી શકાય. તેમાં બાકીનાં ત્રણ પદો મોટે ભાગે શક-કુષાણ યુગમાં ઉમેરવામાં આવેલાં હોય તેવો વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ઉત્તરાધ્યયનસૂત્ર, તેમ જ વ્યવહારસૂત્રના આધારે તર્ક થઈ શકે. (૨) પ્રસ્તુત મંગલના પ્રથમનાં બે પદોનો પ્રાદુર્ભાવ પાર્શ્વનાથના સંપ્રદાયમાં થયો હોવાનો સંભવ છે. અને મુખ્ય પાંચ પછીનાં વધારાનાં પ્રશસ્તિરૂપનાં ચાર પદો અનુગુપ્તકાલમાં, છઠ્ઠી શતાબ્દીના આરંભે, મોટે ભાગે તો નિર્યુક્તિકારના સમયમાં દાખલ થયાનું જણાય છે : પ્રથમ પદમાં મૂળ ‘અરહંત’ શબ્દ હતો; ‘અરહંત’ શબ્દનું ‘અરિહંત' રૂપાંતર ગુપ્તયુગના ઉત્તરાર્ધમાં થયું અને તે કારણસર પછીથી અસલી અર્થમાં પણ પરિવર્તન આવ્યું. (અને આજે તો તેમાં મોઢા આગળ બ્રાહ્મણીય ત્રિપુરુષદેવના પ્રતીક પવિત્ર ૐકારને પણ ઉમેરી દેવામાં આવ્યો છે !) (જૈન પરંપરામાં માંત્રિક-તાંત્રિક યુગમાં ઓસ્કારનો પ્રવેશ પ્રાયઃ ઈસ્વી આઠમા શતકમાં થયેલો હોવાનું જણાય છે.) (૩) માહેશ્વર-દર્શનના નમ: શિવાય અને ભાગવત-દર્શનના નમો ભાવતે વાસુડેવાય સરખા નમસ્કાર-મંગલ જેવી જ, કેવળ સુવિનય અને વિનમ્રતાપૂર્વકના નમનની, સાદર પ્રણામની, ભાવના મૂળમાં નમો અહંતાનં પદમાં પણ સન્નિહિત હોય તેમ લાગે છે. પણ જેમ પ્રથમ કથિત મંગલોનો માંત્રિક-તાંત્રિક રૂપે યંત્રો-મંડલોમાં લગાવ થયો, તેમ નિર્ગન્થોના ‘નમસ્કાર મંગલ’ની પણ એ જ દશા થઈ. (૪) ગુપ્તકાળથી ભારતમાં માંત્રિક સાધનાનો પ્રભાવ ઘણો વધ્યો હતો અને એ જ રીતે ગુપ્તોત્તરકાળથી તાંત્રિકતાનો, જેના પ્રભાવની ઝપટમાંથી નિર્રન્થ દર્શન બચી શકેલું નહીં. નિર્દોષ અને સરળ નમસ્કાર-મંગલ વિશેષ કરીને મધ્યકાળથી ‘નવકાર-મંત્ર’ રૂપે ઘટાવાયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy