________________
કુમુદચંદ્રાચાર્ય પ્રણીત ‘ચિકુર દ્વાત્રિંશિકા’
:
નિગ્રન્થ-દર્શનના કર્ણાટક-સ્થિત દિગંબર સંપ્રદાયના, મધ્યકાળે થઈ ગયેલા, આચાર્ય કુમુદચંદ્રની એક કૃતિથી ઉત્તરની પરંપરામાં પ્રભવેલ શ્વેતાંબર સંપ્રદાય પ્રાયઃ ૮૫૦ વર્ષોથી સુપરિચિત છે ઃ એ છે જિન પાર્શ્વને ઉદ્દેશીને રચાયેલું સુપ્રસિદ્ધ કલ્યાણમંદિરસ્તોત્ર. ઉપર્યુક્ત બન્ને પ્રધાન નિર્પ્રન્થ સંપ્રદાયો અને તેના ઉપાસ્નાયોમાં સમાન રૂપે પ્રતિષ્ઠિત આ સ્તોત્રનું સ્થાન માનતુંગાચાર્યના જગખ્યાત ભક્તામરસ્તોત્ર પછી તરતનું છે; પરંતુ તેનાં કૃતિત્વ એવં કાળ સંબંધમાં બન્ને સંપ્રદાયોમાં ભિન્ન મત પ્રવર્તે છે. રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(ઈ. સ. ૧૨૭૮)ના કથનના આધારે શ્વેતાંબર એને સિદ્ધસેન દિવાકરની રચના માને છે, અને એ કારણસર ત્યાં તે ગુપ્તકાલીન હોવાની ધારણા આપોઆપ બની જાય છે. સ્તોત્રના અંતિમ પદ્યમાં કર્તાએ શ્લિષ્ટરૂપે કુમુદચંદ્ર નામ સૂચિત કર્યું છે એ વાતને લક્ષમાં રાખી પ્રભાચંદ્રે વધારામાં કલ્પી લીધેલું કે સિદ્ધસેનાચાર્યનું દીક્ષા સમયે અપાયેલ અભિધાન કુમુદચંદ્ર હતું. શ્વેતાંબર વિદ્વાનોમાં સ્વ. હીરાલાલ રસિકદાસ કાપડિયા તેમ જ (સ્વ) મુનિવર ન્યાયવિજયાદિ પ્રાયઃ સમસ્ત મુનિગણને પ્રભાચંદ્ર-કથિત માન્યતા અભિમત છે." કિંતુ દિગંબર વિદ્વાનો (અને સમસ્ત દિગંબર સમાજ) કર્તાને સ્વસંપ્રદાય અંતર્ગત મધ્યયુગમાં થઈ ગયેલા કુમુદચંદ્રની કૃતિ માને છે. એ જ રીતે શ્વેતાંબર વિદ્વાનોમાં (સ્વ.) પં. સુખલાલજી તથા (સ્વ.) પં. બેચરદાસ દોશી, (સ્વ) શ્રેષ્ઠિવર અગરચંદ નાહટા એવં જૈનેતર વિદ્વાનોમાં પિનાકિન ત્રિવેદી તેને સિદ્ધસેન દિવાકરની કૃતિ માનતા નથી. અમારો પણ એવો જ અભિપ્રાય છે, જે નીચેનાં કારણો એવં પ્રમાણો પર આધારિત છે ઃ
૧. શ્વેતાંબર સંપ્રદાયમાં કુમુદચંદ્ર અભિધાન ધરાવતા કોઈ જ જૂના આચાર્ય વા મુનિ થઈ ગયા હોય તેવું અભિલેખો, ગ્રંથ-પ્રશસ્તિઓ, કે પછી પટ્ટાવલીઓ-ગુર્વાવલીઓમાં પણ ક્યાંયે સૂચિત નથી : પ્રસ્તુત નામ ત્યાં બિલકુલેય, પરોક્ષ રીતે પણ, જ્ઞાત નથી૧૦. બીજી બાજુ દિગંબર સંપ્રદાયમાં કર્ણાટકના મધ્યકાલીન શિલાલેખોમાં કુમુદચંદ્ર નામ ધરાવતા પ્રાયઃ પાંચેક આચાર્યો યા મુનિઓ વિશે ઉલ્લેખો પ્રાપ્ત છે'. ત્યાં પ્રસ્તુત અભિધાન આમ ઠીક પ્રમાણમાં પ્રચલિત હતું.
૨. સ્તોત્રની શૈલી સિદ્ધસેન દિવાકરની સ્તુતિઓથી તદ્દન ભિન્ન પ્રકારની છે. સંરચનાની દૃષ્ટિએ, અને ક્યાંક ક્યાંક ભાવ-વિભાવાદિના અનુલક્ષમાં, એ વિશેષ વિકસિત પણ છે; તેમ જ તેમાં અન્યથા અનેક મધ્યકાલીન લક્ષણો સ્પષ્ટ રૂપે વરતાય છે. વિશેષમાં શબ્દોની પસંદગી અને લગાવર, એ જ રીતે ઉપમાઓ, અલંકારાદિના ત્યાં પ્રયોગમાં લેવાયેલ
નિ ઐ ભા. ૧-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org