SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૫ (સ્વ) પરીખને “વત્રથી એકનો અંક સૂચિત હોવાનું અભિપ્રેત છે. બન્નેએ પોતાના અર્થઘટનના સમર્થનમાં દલીલો રજૂ કરી છે. “વફત્રને એકાંક માનવાથી નિષ્પન્ન થતા સં. ૧૨૧૬ ( ઈ. સ. ૧૧૬૦ વર્ષથી ફાયદો એ છે કે માણિક્યચંદ્રના ગુરુ સાગરચંદ્ર એ મિતિથી એક પેઢી પૂર્વના હોઈ સિદ્ધરાજના સમકાલીન બની શકે છે; અને એથી ગણરત્નમહોદધિમાં ઉદ્ધારેલ એમની ઉક્તિઓ કાળના ચોગઠામાં બરોબર ગોઠવાઈ જાય છે; પણ તેમાં આપત્તિ એ છે કે ઈ. સ. ૧૧૬૦માં પ્રૌઢ સંસ્કૃત ગ્રંથની રચના કરનાર માણિક્યચંદ્રની ઉંમર મંત્રીશ્વર વસ્તુપાલના સમયમાં, ઈ. સ. ૧૨૨૦-૧૨૩૯ના ગાળામાં, કેવડી હોય ? માણિક્યચંદ્ર ૧૧૬૦માં ત્રીસ આસપાસના હોય તો ઈસ્વી ૧૨૩૦માં તેઓ પૂરા સો વર્ષના હોય ! માણિક્યચંદ્રને (જમ ડૉ. પરીખે માન્યું છે તેમ) અતિ દીર્ધાયુષી માનીએ તો પણ આપત્તિ તો એ છે કે માણિક્યચંદ્રથી ચોથી પેઢીએ થયેલા વિદ્યાપૂર્વજ ભરતેશ્વરસૂરિના સાધમ વાદીન્દ્ર ધર્મસૂરિ ચાહમાનરાજ અર્ણોરાજ-વિગ્રહરાજના સમકાલીન છે; અને એ કારણસર તેઓ સિદ્ધરાજ-કુમારપાળના પણ સમકાલીન છે ! આથી ડૉ. પરીખની વાત માનીએ તો માણિક્યચંદ્રના ગુરુ સાગરચંદ્ર અને એમની ચોથી પેઢીએ થયેલા પૂર્વજ ભરતેશ્વરસૂરિ એમ બન્ને મુનિવરો સિદ્ધરાજના સમકાલિક થાય! (જુઓ અહીં રાજગચ્છનું વંશવૃક્ષ), આ વાત સંભવિત નથી, અને ડૉ. સાંડેસરાએ જે વર્ષ સૂચવ્યું છે તે જ યથાર્થતાની સમીપ જણાય છે. “વફત્ર' સૂચિત અંકમિતિને યથાર્થ રીતે ઘટાવતાં વહેલામાં વહેલી સં. ૧૨૪૬ / ઈ. સ. ૧૧૯૦, અને મોડામાં મોડી સં. ૧૨૬૬ | ઈ. સ. ૧૨૧૦ હોય તેમ જણાય છે. માણિકયચંદ્રનું વસ્તુપાલ મંત્રી સાથેનું સમકાલિકત્વ જોતાં કાવ્યશિક્ષાને સં. ૧૨૬૬ | ઈસ. ૧૨૧૦માં મૂકવી વધારે ઠીક લાગે છે. આ કારણસર માણિક્યચંદ્રના ગુરુ સાગરચંદ્ર તે ગણરત્નમહોદધિ (ઈ. સ. ૧૧૪૧) કથિત સાગરચંદ્ર ન હોઈ શકે. તો પછી આ પહેલાં, સિદ્ધરાજકાલીન, સાગરચંદ્ર કોણ? એનો ઉત્તર ઈસ્વીસના ૧૪મા શતકમાં રચાયેલા ચતુરશીતિપ્રબંધ અંતર્ગત “કુમારપાલદેવ-પ્રબંધ” (પ્રતિલિપિ ઈસ્વીસન્ ૧૫મા શતકનો પૂર્વાર્ધ) માંથી મળે છે. તેમાં કહ્યું છે કે (પૂર્ણતલગચ્છીય કલિકાલ સર્વજ્ઞ) હેમચંદ્રાચાર્યને એક સાગરચંદ્ર નામક રૂપવાનું વિદ્વાન્ શિષ્ય હતા. રાજાએ (કુમારપાળે, વારસહીન હોવાથી) આચાર્ય પાસે રાજ્યાર્થે એમને સોંપી દેવાની માગણી કરી. આચાર્ય આ માગણીને સર્વથા અનુચિત કહી તેનો અસ્વીકાર કર્યો. સાગરચંદ્ર ક્રિયાગુરૂક ચતુર્વિશતિ-નમસ્કારસ્તવની રચના કરેલી જેનો સંધ્યાપ્રતિક્રમણ સમયે પાઠ કર્યો; જે સાંભળી રાજાએ કુમારપાળે) ઉદ્ગાર કાઢ્યા “અહો કવિતા ! અહો રૂપ !”૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy