SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જાણી, મિનિટમાં પહોંચી ગયા. જોઇને આશ્ચર્ય પામ્યા. ભગવાનનું દેદીપ્યમાન સ્વરૂપ, એ ત્રણ ગઢ, એ અશોકવૃક્ષ, એ બાર પર્ષદા, એ પંચવર્ણની પુષ્પવૃષ્ટિ ! આ બધું તો સુંદર હતું જ પણ જ્યારે પાણીથી ભરેલા મેઘના ગર્જારવ સમી કે ગંગાનદીના વહેણ જેવી ધીર-ગંભીર શૈલીમાં સંભળાતી શ્રી સીમંધર સ્વામી ભગવાનની દેશના બાર યોજન દૂર ઉભા રહેલા દેવે સાંભળી તે તો પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. એના અક્ષરના અમીરસને ગટ ગટ પીવા લાગ્યા. એ દેશના શ્રવણનો એવો તો નાદ લાગ્યો કે રોજને રોજ દૂરથી આવીને તે સુધારસથી ભર્યા ભર્યા વચનો સાંભળવા લાગ્યા. સંસારની તમામ વાતો પરત્વે એવો સહજ વૈરાગ્ય પ્રકટ્યો કે પ્રભુ ભક્તિમાં જ સર્વ સુખો અને પાટણવાવનું એ દેવક્ત સિમંધરસ્વામી જિનાલય સંસારનો સાર દેખાવા લાગ્યો. એમના જ સ્વજનો કે બીજા કાંઇ સાંસારિક પ્રશ્નો પૂછે તો કહે કે તમે આ પ્રશ્નોની ચિંતા ન કરો, પરમાત્માના સાચા ભક્તને દુઃખ ન આવે તેની જવાબદારી મારી ! ભરતક્ષેત્રના ધાર્મિકજનોને જોઈ કહે કે અહીંના તમારા બધાના મોં સાવ પડી ગયેલા - નૂર વિનાના અને ઉતરી ગયેલા લાગે છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રના શ્રાવક-શ્રાવિકાઓને જોઉં છું તો તે બધાના મોં ખીલેલા કમળ જેવા, તેજથી શોભતા અને ઉલ્લસિત લાગે છે. ત્યાંના ધાર્મિક જીવોમાં સરળતા ખૂબ જણાય છે. આ બધાના વચનોમાં જે તત્ત્વ પડઘાય છે તેના આધારે આપણામાં ફેરફાર કરવા જેવું લાગે તો કરવા જેવો છે. શ્રી સીમંધર સ્વામી ભગવાન આ કાંતિબાપા (દેવલોકનું નામ શ્રીમેઘનાથ દેવ)ને પહેલા જ દર્શને પ્રિયતમ લાગ્યા છે. પ્રિય અને પ્રિયતરની ભૂમિકામાંથી પસાર થવાનું બન્યું જ નથી તેથી આ દેવના હૈયામાં સર્વતઃ 10-16 IDIEOh રે ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrasyon / I
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy