SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ /// //// WISE // /////// ૨૨૬ [[ ગ્રન્થ ર USી સુભાષિતમ્ | (છંદ: મન્દાક્રાંતા) पिकः कृष्णस्तावत् परमरुणयो पश्यति दशा। નર્યો શ્યામ સ્વાંગે પણ રતુમડાં લોચન ધરે परापत्यद्वेषी स्वसुतमपिनी पालयति यः॥ ન સંતાનો પાળે નિજ, અવરનો જ કરશે. तथाप्येषोऽमीषां सकलजगतां वल्लभतमो - છતાં પ્રીતિ પામે સકલજગની કોકિલ ખરે न दोषा गण्यन्ते खलु मधुर वाचां क्वचिदपि। ન કોઈ આરોપ દૂષણ મધુભાષી નર પરે. અનુવાદ : કુલીનચન્દ્ર યાજ્ઞિક આ સુભાષિતનો મર્મ મજાનો છે. કવિએ એક સનાતન સત્યને સ-દષ્ટાંત આમ મૂકી આપ્યું છે. જે કોઈ મીઠાબોલા હોય છે તેના દોષો હોય તો પણ ગણાતા નથી. આ સમજવા માટે દાખલો આપણી સમક્ષ જ છે ઃ કોયલ કાળી છે અને તેની આંખ હંમેશા લાલ જ રહે છે. વળી કોયલ પોતાના બચ્ચાને ઉછેરતી નથી, પાળતી નથી. એ તો ચોરી છૂપીથી કાગડીના માળામાં જઈ કાગડીએ મૂકેલા ઈડા ખેરવી નાખીને એની જગ્યાએ પોતાના ઈડા સાવધાનીથી મૂકી દે છે. કાગડીમાં કાંઈ સમજ નથી. એ તો કોયલના મૂકેલા ઈડા પોતાના સમજી તેને સેવે છે, તેનું જતન કરે છે, ઉછેર છે. પોતાના જ બચ્ચાને માટે ખોરાક શોધી લાવે તેમ ખોરાક લાવી (ચિત્ર મુજબ) કોયલના બચ્ચાનાં મોઢામાં મૂકે છે. છતાં દુનિયામાં કોયલનાં વખાણ થાય છે ! કારણ? કારણ કે તેને મીઠું મીઠું બોલતાં ટહૂકતાં સારી પેઠે આવડે છે. આ માટે એક સુંદર પંક્તિ છેઃ મીઠાશથી સહજ જનનાં દોષ સર્વે છૂપાતાં.' આમ, જેઓ માત્ર મીઠું મીઠું બોલી જાણે છે તેના પણ, લોકો વખાણ કરે છે. છબીકાર : ભવાનીસિહ મોરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy