________________
૨૨૨
કાવ્ય અને આસ્વાદ
વિવિધ કાવ્યો જે ગુજરાતી ભાષાના હતા તે અને તેનો આસ્વાદ આપણે માણ્યો. આજે સંસ્કૃત ભાષાનો એક વિલક્ષણ કાવ્ય પ્રકાર જે “અન્યોક્તિ' નામે પ્રચલિત છે તે માણીએ. સંવાદ સ્વરૂપ ચાર શ્લોક અને તેના, શ્રી કુલીનચન્દ્ર યાજ્ઞિકે કરેલા પદ્યાનુવાદ વત્તા પ્રસંગ, એમ એ બધુ રસાળ
છે. જોઈએ: વાત એવી છે કે પિતાએ પુત્રને વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં તપોમય ઉપવનમાં દૂર દૂર મૂક્યો છે. જતાં આવતાં વટેમાર્ગ દ્વારા પુત્રના કુશળ સમાચાર મળતાં રહે છે. એકવાર એવા ખબર મળ્યા કે પુત્રની જીવનચર્યા બરાબર નથી, યૌવન સુલભ ચંચળતા વધી છે. આ જાણી પિતાનું મન ઉદ્વેગમાં આવ્યું. પુત્ર આમ તો પ્રબુદ્ધ હતો. સમજુને તો ઇશારો જ બસ હોય! સુબુદ્ધ પિતા સુંદર અન્યોક્તિપૂર્ણ શ્લોક દ્વારા પુત્રને જણાવે છેઃ वृत्त-शार्दूलविक्रीडितम्
સમશ્લોકી પદ્યાનુવાદ शैत्यं नाम गुणस्तवैव सहजो स्वाभाविकी स्वच्छता। હેજે સગુણ તાહરી શીતળતાને સ્વચ્છતા પ્રાકૃતી, किं ब्रुमः शुचितां प्रयान्त्य शुचयः त्वत्संगतोऽन्येप्यतः॥ શું ફહેવું અપવિત્ર થાય શુચિસૌ સત્સંગથી તારાં વિં વાતઃ પરમતિજો સ્તુતિ પર્વ વં નવન દિનામ્ તું હી સહુનું જ છે જીવન શી તેથી વડેરી સુતી, વં વેની પથેનચ્છપિયઃવસ્વ નિરોતું ક્ષમ: તું જો નીચ પળે પળે જળ તને ફહે કોણ રોકી શકે? અન્યોક્તિ શબ્દનો અર્થ એ થાય કે જે વાત કહેવાની હોય તે એને મળતી વાતને બહાનું બનાવીને કહેવાય. અન્ય એટલે બીજી વસ્તુ. તેના પ્રત્યેની ઉક્તિ એટલે કથન. અહીં દૃષ્ટાંતથી સુપેરે સમજી શકાશે. અહીં જળને ઉદેશીને કથન શરૂ કરે છે, જે પોતાના સુપુત્રને બરાબર બંધ બેસે છે. પાણીનો પહેલા નંબરનો ગુણ છે શીતળતા. વળી પાણી સ્વયં સ્વચ્છ છે અને બીજા જે કાંઈ પદાર્થ અસ્વચ્છ હોય તે પણ તેની સોબતથી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org