SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ માનવમનની એક સારી બાજુ એ છે કે તેને જેમ વાળીએ - કેળવીએ તેમ તે કેળવાય છે. છતાં, માનવમનનો અહંકાર એવો પ્રગાઢ-રૂઢ અને હોય છે કે તે રૂપ વરવાં છે અને જૂજવાં છે. તેને કાયમી કરતાં કામચલાઉમાં વધારે રસ છે. સરવાળે તે નાની નાની બાબતોમાં જીદ કરે છે; પોતાની વાત સાચી છે તેવો આગ્રહ સેવે છે, તેને પકડી રાખે છે. આ આગ્રહશક્તિ છે. ખૂબ ઉપયોગી છે. નિયમના પાલનમાં આગ્રહશક્તિની આ દ્દઢતા ખૂબ ઉપયોગી છે. પરંતુ, પેલી કહેવતમાં કહ્યું છે ને કેઃ રમકડાં ખરીદવામાં જે રકમ ખર્ચાય છે તે ઘરેણાં તો ખરીદી શકતી નથી પણ, જીવન નિર્વાહ માટે ઉધાર માંગવું પડે છે, એવું છે ! નાની નજીવી વાતમાં જે પકડી રાખે છે, જીદ કરે છે, હઠે ભરાય છે તે, જીવન રક્ષણ કરનારા નિયમોમાં પકડ રાખવાના અવસરે ઢીલો પડે છે. તે વેળાએ તેની આગ્રહશક્તિ ક્ષીણ થઈ હોય છે તેથી તેને એવું નુકશાન થાય છે કે જીવનભરની કમાણીથી પણ તે ભરપાઈ થતું નથી. દક્ષ ગણાતા માણસ પણ સાવ સામાન્ય બાબતમાં જીદ કરે છે એ ઘણી વાર જોવા મળે છે. એક મર્મસ્પર્શી હિંદી વાક્ય છેઃ છોટી છોટી નિ વાત છે વડી મત વનામો વન તુમ છોટે રો નાગોરો આ જ મર્મ છે. બુદ્ધિવંતનું લક્ષણ પણ આ જ છે કે, બુદ્ધ ફલમનાગ્રહ: નિરાગ્રહી બુદ્ધિ જ શ્રેષ્ઠ છે. નાનકડી વાતથી સમજીએ એકવાર ચાર-પાંચ મિત્રો રસ્તેથી પસાર થતાં હતા. અચાનક ક્યાંકથી સરસ સુગંધ આવી. સહુના નાકનાં ફોરાંમાં એની ઝમક દેખાઈ. આંખો આજુબાજુ ફરી વળી. એક મિત્ર કહે, આજુબાજુમાં ક્યાંક બગીચો હોવો જોઈએ. બીજો તરત બોલી ઉઠ્યો, ના..ના.. આ તો પેલો ખટારો ગયો તેમાં અગરબત્તી ભરી હશે, તેની સુગંધ.. ત્યાં તો ત્રીજો કહે, એક બાઈ અહીંથી પસાર થઈ તેના પરફયુમની સુગંધથી બધું મહેકી ઊડ્યું છે. વાત વળે ચડી! હવે કોઈની પાસે પુરાવો તો હતો નહીં. પણ, આ વાત જીદ કરવા જેવી પણ નથી. ભલે એ સુગંધ સુંદર હતી. તેને માણો. એની મજા લૂંટો. આવી વાતમાં આગ્રહ શું કરવો? અરે ! હઠાગ્રહ થાય તેવો આગ્રહ ક્યારે ય ન કરવો. બલ્ક, હા ભાઈ ! તારી વાત સાચી હોઈ શકે એવા ઉદ્ગારથી વાર્તાલાપ શોભાવવો. સહનશક્તિ જેવી જ કિંમતી આગ્રહશક્તિ છે. તેને સાચવવી અને જરૂર હોય ત્યાં જ વિવેકપૂર્વક વાપરવી. . ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy