SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ / / ૧૪૨ માલવપતિપુત્રી મયણાં અતિગુણવંત ગ્રન્થ ૨ Hoteh શ્રીપાળના જીવનની ઉત્તમતાનો જે ઉઘાડ થયો, તેમાં નિમિત્ત બનનારા તો મયણાં સુંદરી છે. મયણાં એ જાજરમાન નારી છે. તેમના ચિત્ત-ઘડતરની ઓળખ કરાવનારા પ્રસંગોના વર્ણન શ્રીપાળ-રાસમાં મળે છે તે નેત્ર-દીપક છે. (૧. ભરસભામાં રાજા માલવપતિ, જેઓ પિતા પણ છે, તેમણે સમસ્યા પૂછીઃ પુણ્યથી આ મળે છે.” (પુહિં નમઠ્ઠા ) -- આ પદ છેલ્લે રાખીને, ત્રણ પદ રચવા માટે કહ્યું ! ત્યારે, નાની કહેવાય તેવી વયમાં, નીડરતા પૂર્વક ઉત્તર આપવો તે કામ સામાન્ય નથી. વળી, પરિણત પ્રજ્ઞાના પ્રભાવે જ જે વિચાર ક્રૂરે તે જ વિચાર રજૂ કર્યા ! શાસ્ત્ર ભણવાનું પ્રયોજન જ આ છે. ચિત્તને સત્યક્ષપાતી બનાવવું, વિવેકવાળું બનાવવું, ભયથી મુક્ત બનાવવું એટલે ભયજનિત ચંચળતાથી પણ મુક્ત બનાવવું. એના બળે, વિનયપૂર્વક પણ, જ્ઞાની પુરુષોના પ્રભાવે, શેહ-શરમને જીતીને કહી શકાય એવું જ મયણાંએ કહ્યું : મયણાં કહે મતિ ન્યાયની, શીલ શું નિર્મળ દેહ, સંગતિ ગુરુ-ગુણવંતની, પુણ્ય પામીજે હ. કુંવરી મયણાંની વાત તો સાચી જ હતી. છતાં, રાજાના હુંકારને ઠેસ લાગી. પિતા હવે રાજાના પાઠમાં બોલ્યા: ‘તું સુખી છે કે, જે કાંઈ છે તે મારા કારણે છે.”રાજાની વાત સાચી હતી. પણ, તેમનાં મોઢે આ શબ્દ શોભતાં ન હતાં. જ્યારે મયણાંની વાત સાચી હતી અને તે, બધાંના મોઢે શોભે તેવી હતી. રાજાએ મયણાંની વાતનો સ્વીકાર ન કર્યો, કહેઃ “જો તું પુણ્યને જ માનતી હોય તો જો, હું તારી શી દશા કરું છું.” - મયણાસુંદરી સ્વસ્થ છે. તેના વચનમાં અને વર્તનમાં પિતા પ્રત્યેના અવિનયની કે અનાદરની લેશ માત્ર ગંધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002067
Book TitlePathshala Granth 2
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2007
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy