________________
તપાચાર – ૪
-
(૩૪) કોઈ પણ પાંચ વિગઈનો ત્યાગ ૪
વિરતિના ક્ષેત્રમાં ત્યાગનો ઉલ્લેખ થાય છે, ભોગનો થતો નથી; તેથી, કોઈ પણ એક વિગઈ વાપરું એવો નિયમ નથી રાખ્યો ! એકથી કામ ચાલે તો વધુ વિગઈ શા માટે ! આમ, વૃત્તિ સંક્ષેપ તપ પણ આરાધી લેવાની તત્પરતા દેખાય છે.
(૩૫) લીલું નારિયેળ, આખો ગોળો, ટોપરાં, ખારેક, ખજૂર, દરાખ, લવિંગ, એલચી, સુંઠ, મરી-પીપર --આટલી વસ્તુઓનો ત્યાગ. ૫
આ દ્રવ્યો ભૂખ શમાવવા માટે ઉપયોગી કે જરૂરી નથી, તેથી તેનો ત્યાગ કર્યો. આહારના ક્ષેત્રમાં જીભને કોરાણે મૂકી, જરૂરિયાતની દૃષ્ટિએ વિચારીએ તો ઘણું બાદ થઈ જાય ! મુનિવરે આ જ દૃષ્ટિથી આ નિયમ કર્યો છે. આપણને સીધી રીતે નહીં પણ આડ રીતે બોધ મળે છે કે જે જરૂરી નથી તે ત્યજતા જવું.
(૩૬) સાદું દૂધ અને નીવીયાતું દૂધ પણ ન વાપરું.
આયુર્વેદમાં દૂધને સઘઃ શુક્રકર પયઃ। (દૂધ તરત જ વીર્યને કરનારું છે.) એમ પ્રમાણ્યું છે. સાધુ જીવનનું મુખ્ય લક્ષણ તેની મન-વચન-કાયાની નિર્વિકારતા છે. તે જાળવવા દૂધનો ત્યાગ જરૂરી છે.
(૩૭) કઠોળના શાક સિવાયનાં તમામ લીલા શાક, દૂધી. પરવળ વગેરે તથા સુકવણી શાક કેર, કુમટિયા, સાંગરી વગેરે તથા મીઠાનો પુટ આપ્યા હોય તેવા કોઠીંબડા વગેરેનો ત્યાગ. જે કઠોળના શાક વાપરવાના હોય તે પણ આખા દિવસમાં વધીને ત્રણ જ વાપરું. ૭
મૂળથી અ-સ્વાદ વ્રતની સાધનામાં, સ્વાદ વિજયને અગ્રતા આપવામાં આવે છે. લીલા શાકભાજી સ્વાદિષ્ટ હોય છે. સ્વાદથી આસક્તિ થાય છે. આસક્તિ ત્યાં ઉત્પત્તિ એ નિયમ છે માટે તેનો ત્યાગ અને આહાર વાપરવા માટે કઠોળના શાકથી ચાલે; તેથી તે આવશ્યક છે તો વાપરવું જરૂરી નથી. માત્ર જીભ માટે છે
Jain Education International
For Private & Personal Use Only
૧૧૯
www.jainelibrary.org