________________
આમ ત્રણમાંથી કોઈ પણ ભાવના (વિચારણા)નું આલંબન લઈને મનને આર્તધ્યાનથી મુક્ત રાખી શકીએ.
આપણે તો આવા પુરુષના જીવનપ્રસંગોનું આલંબન લઈને ચિત્તની ફરતે એક કિલ્લો રચવો છે અને કોઈ પણ ઉપાયે આર્તધ્યાનને મનમાં પ્રવેશવા દેવું નથી.
આજે આપણે હવેથી એવું જીવન જીવવું કે આપણે જતાં પહેલાં એકવાર એવું કહી શકીએ કે આર્તધ્યાનના નિમિત્તોનો ખડકલો હોય તો પણ ચિત્તને સંકલેશથી - આર્તધ્યાનથી અળગું રાખ્યું છે.
પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રસૂરિ મહારાજ જિતેન્દ્રિય તો હતા પણ પેલી કહેવતમાં કહ્યું છે ને -ના નિતં વન ! મન ચેન ા. (સમગ્ર જગતને જીવું કોણે ! જેણે મનને જીત્યું તેણે.) તેમ મનને વશ કર્યું હતું.
એમ યોગીરાજની અદાથી તેઓ શરીરને સાધન માનીને ઘણો કસ કાઢી લીધો. સાવ બાળવા જેવું નિઃસાર થઈ ગયું પછી ત્યજી દીધું !
મનને એવું જીત્યું કે તે મન આત્માના વિચારથી ભરાયેલું રહ્યું ને આર્તધ્યાન ફરક્યું જ નહીં. પેલી બે લીટી યાદ આવે છે તે લખીને કલમને વિરામ આપું.
ઘેરી લીયે કંટક છો ગુલાબને, ન આંચ આવે કશી યે સુવાસને.’ .
[[
[[ળ ગ્રન્થ ર | જી
Jain Education International
For Private & Personal Use Only
www.jainen