SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ આ માત્ર તરંગ નથી. વિદેશની યુનિવર્સિટીઓમાં આવા સમતાશતક જેવા વિચારસૂત્રો ભણાવવા જોઈએ. આ માટે ગ્રંથાગાર હોય છે જ. જરૂર પડે ત્યારે નિઃસંકોચ ત્યાં જઈ ભરપૂર પ્રચાર પણ થવો જોઈએ. અહીં ભણાવાય છે, શકાય અને લાભ લઈ શકાય ! આપણે તો જ્ઞાનના પૂજારી ભણાવાશે તેવી રીતસરની જાહેરાત થવી જોઈએ. ગણાઈએ છીએ. તો આપણી જ્ઞાનની આ પરબ ખુલ્લી જ શ્રીસંઘમાં આવો ભાર સમ્યગુજ્ઞાનની પરબ જેવી રહેવી જોઈએ. સુત્રજ્ઞાનની સાથે અર્થજ્ઞાન મળે તેવી બધી પાઠશાળા માટે આપવામાં આવે તો, આમાનું કશું જ અશક્ય જ વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ. પૂજ્યપાદ હરિભદ્રસૂરિજીએ નથી. કામચલાઉ કામોમાં દર વર્ષે કેટલો મોટો અર્થવ્યય, લલિત વિસ્તરામાં અર્થબોધ વિનાના સૂત્રપાઠને સૂકી શેરડી શ્રમવ્યય અને શક્તિવ્યય થાય છે જ. તેની સાથે આવા ચાવવા જેવો કહ્યો છે. પંચપ્રતિક્રમણ સૂત્ર, જીવવિચાર- કાયમી કાર્યમાં એ બધું વાળવામાં આવે તો શ્રીસંઘ નંદનવન નવતત્ત્વ ભણાવાય છે તે ઉપરાંત પંચસૂત્ર-ચઉશરણ જેવા બની જાય. આટલું આજની પાઠશાળા વિશે. શુદ્ધિસૂત્રો, ઋષભ પંચાશિકા જેવા ભક્તિ સૂત્રો, યોગસાર, પહેલો પાઠ ! ક્ષમા એ ધર્મ છે, ક્ષમાનો વિરોધીભાવ તે ક્રોધ. દ્વેષ, ઈર્ષા, નિંદા આ બધા ક્રોધના નાતીલા છે. આ અધર્મ છે. ક્ષમા એ આત્માના ભાવે છે, આત્મ જાનત છ ત ગુણ છે. નિત્ય છે. જ્યારે ક્રોધ કર્યજનિત ભાવ છે. માટે તે અનિત્ય છે. ક્ષમા એ ચૈતન્યનો આવિર્ભાવ છે. તો પણ તેનો સ્ટોક ન કરવો, મનમાં સંઘરવો નહીં. સંઘરશો તો તે વેર બની જાય. ઉપાધ્યાય મહારાજની સોનેરી શિખામણ છે : “ક્રોધ અનુબંધ નવિ રાખીએ.' ક્રોધનો અનુબંધ નહીં, તેની પરંપરા નહીં. થયું હોય તે દાઢમાં રાખવું નહીં, ક્રોધમાંથી જેવું મન નિવૃત્ત થાય કે તરત જ નિરક્ષણ, પરિક્ષણ, પૃથ્થકરણ કરવું અને તેના પરિણામ રૂપે જાગતિ લાવવી. જાગૃતિ આવે અર્થાતુ સાવધાની આવે તો દોષ ઘટે. પરંતુ આ ક્રોધ જલદી જાય તેવો નથી. સૌથી મોટો દોષ ક્રોધ છે, પહેલે નંબરે છે! ક્રોધ કરવા માટે પણ બીજી વ્યક્તિ જોઈએ. ક્રોધ સ્વ અને પર -- બન્નેને સંતાપપરિતાપ જન્માવે, હાનિ પણ કરે. આત્મધનને લૂંટનાર ક્રોધ ભૂલ કબૂલે છે. સ્વબચાવમાં એક અક્ષર પણ કહેતા નથી. જેવી એમણે પોતાની ભૂલ કબૂલ કરી કે તરત જ આર્યા ચંદનાજીએ પણ તેમને માફ કર્યા. મૈત્રી સ્નેહનું પ્રતીક છે. સ્નેહ શાંતિનું કારણ છે. ક્રોધ દ્વેષનું પ્રતીક છે. દ્વેષ સંતાપનું કારણ છે. ક્રોધ કરે અને ક્ષમા ન માંગે તો સંતાપ રહે છે. માટે ક્રોધ પર કાબૂ મેળવવા હૃદય ભીનું ભીનું રાખવાનું છે. જીવ પ્રત્યેની મૈત્રીથી હળવું રાખવાનું છે. કુલ સુગંધ ફેલાવવા જ છે, મેઘધનુષ આંખને આનંદ આપવા માટે છે, સંગીત કર્ણને મધુરતા બક્ષે છે તેમ જીવ પ્રેમ કરવા માટે જ છે. આપણું જીવન અન્યની સાથે જોડાયેલું હોય છે, એટલે ગમા-અણગમાની શૂન્ય-ચોકડીની રમત ચાલતી રહે ત્યારે સામાની જગ્યાએ આપણે પોતે પણ હોઈ શકીએ છીએ તેમ માની સામાને અવગુણને કે અધૂરપને હસી કાઢવા એ જ ઉત્તમ ઉપાય છે. કવિ જયન્ત પાઠકે આ વાત કાવ્યમાં મઢી છે : રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે, હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે. આટલું સમજીને આપણે સંબંધોમાં લાગતી કડવાશ, ખારાશ હળવાશથી લઈએ તો કમસે કમ આપણે તો હળવા રહીએ જ. આ જીવન જીવવાની કળા છે, જેનો પહેલો પાઠ છે : હા, એ મારી ભૂલ છે. આ પાઠ આવડી જાય એને જીંદગીના પછીના અઘરા પાઠ પણ આવડી જાય. ક્રોધનો ઈલાજ માત્ર ક્ષમા છે. માફ ન કરો તો મૈત્રીમાં તીરાડ પડે છે, પછી મૈત્રી તૂટે છે. જ્યારે માફી માંગવા માટે જેવી પહેલ થાય કે તરત જ સામે તેનો પડઘો પડે છે. મૃગાવતીજીનું હૃદય મૂદુ, નમ્ર અને સરળ હતું. એટલે જ ગુણી ચંદનાજી પાસે મસ્તક નમાવી ખમાવે છે. પોતાની મનન : ૨૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy