SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલ, ઝાડની ખબર કાઢવા દ્રશ્ય ભલે એક હોય પરંતુ તેનું દર્શન તો વ્યક્તિ વ્યક્તિએ નોખું જ રહેવાનું. અને કાલે કોઈ ડાળ તૂટી છે, તેમાં પણ કવિનું દર્શન તો લોકોત્તર જ હોવાનું. કવિ માત્ર આંખથી નથી જોતા; તેની ચાલ ઝાડની ખબર કાઢવા. નજરનો મહિમા છે. એક કુહાડી ક્યાંક ઊઠી છે, જુઓ, આ વાત તો ક્યાં નવી છે! જંગલમાં એક ઝાડનું તૂટવું, તે તો રોજની ઘટના ચાલ ઝાડની ખબર કાઢવા. છે. જેની નોંધ પણ ન લેવાય એવી સાદી ઘટના છે. એ સામાન્ય લાગતી ઘટનાને ઉઠાવીને પાનખરે જે પંખીઓએ, કવિ, કોની કોની સાથે જોડે છે તેનું જ મહત્ત્વ છે. ઝાડને હિંમત આપી’તી લોકમાં કોઈ પ્રથિતયશ વ્યક્તિ સ્વર્ગવાસી થાય ત્યારે વૃક્ષને યાદ કરવામાં આવે એ પંખીઓની હામ ખૂટી છે. ભાયાણી સાહેબ સ્વર્ગવાસી થયા ત્યારે ઘણાંએ હૃદયમાં જે અનુભવ્યું હતું તે શબ્દમાં ચાલ ઝાડની ખબર કાઢવા. અવતરીત કર્યું હતું : એક ધીંગો વડ ધરાશાયી થઈ ગયો, જેની ઓથે કેટકેટલા માળા ડાળ તૂટી ને કેટ-કેટલાં બંધાયા હતા તે બધા વીંખાઈ ગયા. આમ વ્યક્તિથી વૃક્ષ સૂઝે છે. અહીં વૃક્ષથી વ્યક્તિ સુધી જવાનું છે. પંખીનાં ઘર તૂટી ગયાં; - કવિ મુકેશ જોશીનું નામ, આજના નવા કવિઓમાં માનપુર્વક લેવાતું નામ છે. કો’કે શું મિરાત લૂંટી છે, તેમના કાવ્યના વિષયો નિરાળા છે. રચના-શબ્દસંરચના નેત્ર-દીપક હોય છે. તેમનો ચાલ ઝાડની ખબર કાઢવા. પ્રથમ કાવ્ય-સંગ્રહ જ પોંખાયો. વિવેચકો અને કાવ્ય-રસિકોનું ધ્યાન ખેંચાયું. ઝાડ કુહાડીલાયક હો, ગીત-રચનામાં તેઓની હથોટી સારી જામી છે. આ કાવ્યમાં એ સહજ જોવા મળે તો માણસ શેને લાયક ? છે. જેની ડાળ તટી છે. તેવા કોઈ ઝાડની ખબર કાઢવાની વાત છે. તરણાંઓમાં વાત ફૂટી છે, ગુજરાતીભાષાની ખૂબી અહીં છે. શબ્દવ્યંજનામાં તો તે મેદાન સર કરે છે. ચાલ ઝાડની ખબર કાઢવા. શબ્દો સાદા પણ અર્થચ્છાયા અજબની ! ઝાડની ખબર એટલે પરિવારની ખબર મૂકેશ જોશી કાઢવાની વાત છે. ડાળ તૂટવામાં કારણ છે કોઈ કહાડી -કોઈ આપત્તિ ! કોઈ અપેક્ષા ! કુહાડીની સાથે ક્રિયાપદ જોડાયું છે ‘ઊઠી છે'. આપણે ત્યાં “સોળ ઊઠ્યા છે' એવો પ્રયોગ પ્રચલિત છે. અહીં ‘એક કુહાડી ક્યાંક ઊઠી છે' ડાળને તોડવામાં નિમિત્ત બનેલી કુહાડી છે એ સહાનુભૂતિ-પ્રેરક છે. હવે ડાળની ખબર કાઢવાનું કારણ માત્ર એ ડાળ છે એમ નથી. એ ડાળે તો કેટ-કેટલાંના પવન પડી ગયેલા દિવસો સાચવી જાણ્યા છે. પાનખરના લાંબા લાગે એવા દિવસોમાં, ફરી વસંત આવશે, પડેલાં પાન નવા થઈ શણગારશે એમ હિંમત આપી પંખીઓની જમાતને રાજી કરી હતી તે બધાની હામ જવા બેઠી છે. એની ખબર કાઢી આવીએ. ડાળ તૂટવા માત્રથી વૃક્ષનો વિયોગ છે એમ નથી. ત્યાં અતૂટ પ્રીતિપૂર્વક પોતાની મોંઘેરી મૂડી જેવા ઘર બાંધ્યા ફેમિલી ઑફ મેન - તસ્વીર પ્રદર્શન હતાં. હૂંફ અને સલામતી આપતાં, મોટી મિરાત સમાં એ ઘર ભાંગ્યાં છે! ચાલ, આપણે તેની ખબર કાઢીએ અને શ્રદ્ધાનું ભાતું બાંધીએ; વિશ્વાસના દીવામાં ઘી પૂરીએ. છેલ્લે વેદના નીતરતા શબ્દો છે : ઝાડ જો કુહાડીને લાયક છે તો માણસ શેને લાયક છે? મોટા માણસોમાં નહીં, નાનાં તરણાંઓમાં આ વાત ચર્ચાય છે! “તરણાઓમાં વાત ફૂટી છે.' -રોજીંદા વ્યવહારમાં ‘વાત ફૂટી ગઈ” એ પ્રયોગથી તદ્દન ભિન્ન અર્થમાં આ પંક્તિ રચાઈ છે. એક સારા વિવેચકનું એવી મતલબનું વાક્ય છે : “કવિનો શબ્દ પ્રતિભાદત્ત છે કે પ્રયાસદત્ત છે તેની કસોટી આ છે કે, કાવ્યાત્મક રીતે પ્રયોજાયેલો હોય તે શબ્દ, એ પંક્તિમાં અને એ પંક્તિ એ કૃતિમાં ઓગળી જવા જોઈએ. જો એમ થાય તો જ એ શબ્દ પ્રતિભાદત્ત ગણાય, અન્યથા એ શબ્દ કરામતનો દીધેલો છે. અહીં ‘તરણાંઓમાં વાત ફૂટી છે' એ પંક્તિ ગીતમાં બરાબર ઓગળી ગઈ છે. આ ગીતની વ્યંજના માણવી ગમે એવી છે. મમળાવતા રહીએ એવી છે. ફરી એકવાર આ ગીતનું ગાન કરી જુઓ. શબ્દના પડઘા તરંગની જેમ આવર્તન પામશે. કાવ્ય-આસ્વાદઃ ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy