SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તે વૈરાગી, શીધ્ર સઘળું ત્યજે જે વાત, હમણાંની છે. હમણાંની એટલે કે વિ.સં. ૨૦૧૭ના જેઠ મહિનાની. જીવને સંસ્કાર અને સ્વાધ્યાયના બળે, વૈરાગ્ય જન્મે છે; તો કેવો જન્મ? નીચેની ઘટના, આ પ્રશ્નનો સબળ ઉત્તર છે. ઇન્દોર (મ.પ્ર.)ના વેપારી, મહેન્દ્રકુમારજી નાહર એમનું નામ. એમના સુપુત્રનું નામ મનીષકુમાર. ઘણા પુણ્યવંત. ધીકતો વેપાર ચાલે. કરોડોની સંપત્તિ ! છતાં, તેઓ પથ્થર પાણીને મળે તેમ, સંસારને મળ્યા ખરા; પણ, સાકર પાણીમાં ભળે તેમ, ભળ્યા નહીં! પિતા-પુત્ર, બન્ને સંસારની લીલા, નિર્લેપભાવે જોતા રહ્યા. એક ક્ષણ, સંપત્તિની ટોચની આવી. એ ક્ષણે, બન્નેએ સંસાર છોડવાનો સંકલ્પ કરી લીધો ! અમરાવતી ગયા. ઉપાશ્રયમાં જઈ, પ્રભુજીની પિછોડી પહેરી લીધી! પિતા-પુત્ર “સંયમધર' બની ગયા. જોનાર-સાંભળનાર તો, આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. મનમાં, અનેક સવાલો કૂદવા લાગ્યા! શું બન્યું હશે ? આવેગનો ઉભરો હશે ? આંચકો લાગ્યો હશે? પૂછીએ. પૂછી લીધું: ‘તમે આ કરોડો રૂપિયાનો વૈભવ અને વહીવટ કેવી રીતે છોડી શક્યા ?' તેઓએ સ્વસ્થતાપૂવર્ક કહ્યું : जो पत्ते, पेड के हैं, वह भी पेड के नहीं रहते; तो घोसला तो कहां से रहेगा? वह तो पेड का है ही नहीं . જે પાંદડાં વૃક્ષનાં છે તે પણ પાનખર આવતાં ખરી પડે છે, - તેનાં રહેતાં નથી. તો, તેમાં કો’કે બાંધેલો માળો તો વૃક્ષનો, ક્યાંથી રહેવાનો હતો? આ શરીર, જીવ સાથે એકમેક થઈ રહે છે, તે શરીર પણ, જીવનું થતું નથી, અહીં પડી રહે છે. તો, સંપત્તિ તો, ક્યાંથી પોતાની બની રહેવાની છે? સાંભળનારને ખાત્રી થઈ કે વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે; ઉભરો નથી. કર્મથી ભલે સંસારમાં રહ્યા હતા; પણ, “કષાય' ની ચીકાશ ન હતી. ચણીબોરના ઠળિયાની જેમ, ક્ષણવારમાં અળગા થઈ ગયા. રાજેશ વ્યાસનો શેર યાદ આવે છે: ‘તારું જ છે બધું, છોડી બતાવ તું, - તારું કશું નથી, છોડીને આવ તું.” હાલ ખતરગચ્છની પરંપરાના મુનિશ્રી મહેન્દ્રસાગરજી અને મુનિશ્રી મનીષસાગરજી બનારસમાં પાર્શ્વનાથ વિદ્યાપીઠમાં રહીને, જ્ઞાન-સાધનામાં વિકાસ સાધી રહ્યા છે. ધન્ય, તેમના અન્તર્મુખી વૈરાગ્યને ! વૈર નહીં, વૈરાગ્ય જાગ્યો ! વૈરાગ્યના કારણો કે વૈરના કારણોમાં, તફાવત નથી હોતો. રાજાએ આમંત્રણ આપ્યું. તાપસે શરત કરી: “પારણું કાર્તિક તફાવત તો, એ કારણોને કયા કાર્ય માટે ખપાવવાં, એ દ્રષ્ટિમાં શેઠ કરાવે.” હોય છે. રાજાએ વાત સ્વીકારી. રાજાના કહેવાથી કાર્તિક શેઠ આવ્યા. વાત છે, ઐરિક તાપસ, રાજા અને કાર્તિક શેઠની. કાર્તિક તેમણે ઐરિકને પારણું કરાવ્યું. મનગમતું થયું એટલે ગૅરિકે શેઠનું મન અહેતુકથિત માર્ગના મર્મથી રસાયેલું હતું. પોત પ્રકાશ્ય. નાકે આંગળી મૂકી. આ ક્ષણે કાર્તિકે વિચાર્યું: પારિણામિક દ્રષ્ટિ લાધી હતી, તેથી ઐરિક તાપસની મેં દીક્ષા ન લીધી; તેનું પરિણામ, આ પરાભવ છે. તપસ્યાથી તેઓ આકર્ષાયા નહીં. આ સંકેત છે. સંકેતની લિપિ વાંચી કાર્તિકે એક હજાર આઠ ઐરિક તપ કરતો હતો; પણ તેનું પ્રયોજન સાવ ઉપરની પુરુષો સાથે, શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુના ચરણોમાં જીવન સપાટીનું હતું. કાર્તિક આવે અને મને પારણું કરાવે, તેમાં જ સમર્પણ કર્યું. બાર વર્ષ ચારિત્ર પાળી, તે સૌધર્મેન્દ્ર થયા. તેને તપની ફલશ્રુતિ જણાતી હતી. જીવન ઉજ્જવળ બનાવ્યું. સંસાર-રસિક જીવને જે વૈર જીદભરી ઇચ્છાનો નશો ખરાબ છે; તે બધું જ તેમાં હોમવાર વધારનારું કારણ બને તેને આવા ઉત્તમ આત્માએ વૈરાગ્યનું તૈયાર હોય છે. કારણ બનાવી દીધું. આ સમ્યગુ દ્રષ્ટિનો પ્રભાવ છે. ૧૧૦: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy