________________
બાર : પાઠશાળા
Jain Education International
ગામડામાં વિહાર કરતાં કોઈ એવા માણસો મળી જાય તો એમને જાણે ગોળનો ગાડવો મળી ગયો હોય એવું થાય ! એમની આ સ્વાભાવિક શૈલી ‘પાઠશાળા’ના અંક-અંકે ઝિલાઈ છે. ૦ શ્રી શત્રુંજય ગિરિરાજ પર દાદાની છડી પોકારતા કરસન ચોપદારે પાલિતાણા ઠાકોર સામે બતાવેલી ખુમારીને વાંચી કોણ એવો હશે કે જેનામાં ખુમારી ન પ્રગટે ?
૦ સાધ્વીશ્રી લક્ષ્મણાશ્રીજી અને મુનિરાજશ્રી યશોહીરવિજયજીની વાતો વાંચતાં એમની ઉદાર મનોવૃત્તિના દર્શન થાય છે.
૦ વામજથી શેરીસા સુધીના વિહારનું વર્ણન એવું તો રસાળ શૈલીથી લખાયું છે કે એ વાંચતાં આપણે જ એ રસ્તે થઈને પસાર થતા હોઈએ એવો પ્રત્યક્ષ અનુભવ થાય.
O દાદાના અભિષેકનું વર્ણન તો આખાયે પુસ્તકમાં શિરમોર સમું જ છે. એ વાંચનાર ગમે તેવો નાસ્તિક હોય તે આસ્તિક થયા વિના ન જ રહે.
કેટકેટલી અવનવી,અગાઉ ક્યારેય ન જાણેલી કે વાંચેલી કે ન સાંભળેલી વાતો અહીં વાંચવા મળે છે. આ પુસ્તકને સાદ્યાન્ત વાંચનારનું જીવન પરિવર્તન થયા વિના રહેશે જ નહિ. વાંચનારને વાંચ્યા પછી પોતાના જીવનમાં ચમત્કાર થયા જેવું લાગશે.
આ સાહિત્યયાત્રા વણથંભી સદાય વિકસતી રહે એવા અમારા અન્તરના આશીર્વાદ.
આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરિ
શંખેશ્વર તીર્થ
પોષી દશમી : વિ. સં. ૨૦૬૧
અહો આ પાઠશાળામાં !
સરલ શબ્દો સરે કેવું અહો આ પાઠશાળામાં ! અમી સરીખું ઝર કેવું અહો આ
પાઠશાળામાં !
પાઠશાળામાં ! રેશમી સૂત્ર પાઠશાળામાં !
હતું જે સ્થૂલ ને ગાઢું' ક્ષણોમાં સૂક્ષ્મ થઇ જઇને - હળુ અચરજ ધર કેવું અહીં આ પાઠશાળામાં ! વિનતભાવે અહીં આવી ઝૂકેલાં મસ્તકો ઉપર વરદ કર જો ફરે કેવું અહીં આ ચમકતું ને ચળકતું મન અદીઠાં પરોવાતું અને કેવું અહીં આ બધાં બંધન ઉખેળીને, સરળ ગૂંચો ઉકેલીને હયાતી વિસ્તરે કેવું અહો આ પાઠશાળામાં ! થઈને સાવ ખાલીખમ પલાંઠી વાળી જે બેઠાં, અખેપાતર ભરે કેવું અહીં આ ત્રિવિધ તાપે બળેલી ને ઝળેલી કૃપાળુ ઝરમર કેવું અહો આ
પાઠશાળામાં ! ચિત્તભૂમિ પર, પાઠશાળામાં !
રાજેન્દ્ર શુકલ
For Private & Personal Use Only
www.ainelibrary.org