SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જગશેઠ ૩૫ વૈભવ અને ધન તો ક્ષણિક છે, ધર્મ અજર-અમર છે. અધર્મથી કદાચ ઈદ્રનું ઈન્દ્રાસન મળતું હોય તોપણ ધાર્મિક હિંદુ તેની સામે ઊંચી આંખ ન કરે.” જગત્શેઠે સનાતન વિચાર અને વાણીનો નિર્જીવ અનુવાદ સંભળાવ્યો. મને પણ એ જ દુ:ખ સાલે છે. મારો એક હિંદુનો પુત્ર, પુત્ર નહીં તો પૌત્ર અને પૌત્ર નહીં તો દૌહિત્ર આવતી કાલે તમારાં જ મંદિરો તોડશે, તમારાં કુટુંબો ઉપર સીલમ ગુજારશે, તમારા શિલ્પ અને સાહિત્યનો નાશ કરશે અને છતાં તમે માનશો કે “અમે ધર્મનું પાલન કરી રહ્યા છીએ.” જગતુશેઠ ! એ તમારો દોષ નથી. ભારતનું ભાગ્ય જ કંઈ એવા આછા કુંકુમે લખાયું છે. તમે કે હું શું કરી શકવાના હતા ?” અતિશય આવેગને લીધે મુર્શિદ-ખાંથી વધુ બોલી શકાયું નહીં. બિછાના ઉપર જાળવીને પડખું ફેરવ્યું અને જાણે કે હવે કહેવાનું કંઈ બાકી ન રહ્યું હોય તેમ આંખો મીંચી લીધી. તેમના પ્રત્યેક નિઃશ્વાસમાં સંતાપના ડુંગર ઠલવાતા હોય તેમ જગશેઠ જોઈ રહ્યા. પોતાના મિત્રની આવી કરુણાજનક દશા નિહાળી તેમને ભારે આઘાત થયો. આટઆટલા વરસ સુધી આ પ્રકારની અસહ્ય વ્યથા મૂંગે મોઢે જે સહી શકે છે, તેનું મનોબળ કેટલું મજબૂત હોવું જોઈએ. એ વિચારે તેમના હૃદયમાં મિત્ર પ્રત્યેનું માન ઉભરાવા લાગ્યું. પણ તેઓ નિરુપાય હતા. કુદરતનો આખો ક્રમ ફેરવ્યા વિના મુર્શિદ-ખાંના દર્દ ઉપર મલમપટો બાંધવો તેમને અશક્ય લાગ્યો. : : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy