SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જગશેઠ નવકાર મંત્રનું સ્મરણ કરતો હીરાનંદ ઘરની બહાર નીકળ્યો. પંચ પરમેષ્ઠીનાં ધ્યાન તથા સ્મરણથી આત્મા નિર્મળ બને છે, એમ તે જાણતો હતો. પણ આજ તો આત્મા કરતાં ય દેહનો નિભાવ તેને મન વધુ અગત્યનો વિષય હતો. સ્વર્ગનાં સુખ ઘણીવાર તેણે વ્યાખ્યાનોમાં સાંભળ્યાં હતાં. પણ વર્તમાન જીવનનાં દુઃખ-દારિત્ર્ય અને અપમાનથી કઈ રીતે બચવું એ તેને નહોતું સમજાતું. નવકાર મંત્રના સ્મરણથી દુ:ખમાત્ર દૂર થાય છે, વિનો બધાં ટળી જાય છે અને અણધારી રીતે દેવતાઓ ધન-ધાન્ય વડે આવારા ઉભરાવે છે, એમ તે શ્રદ્ધાપૂર્વક માનતો. નાગોરનો ગઢ વટાવી એક જીર્ણ મંદિરની પાસે આવી ઉભો રહ્યો. સાંજ પડી ગઈ હતી. દિવસે પણ આ સ્થાન ભયંકર ભાસતું. સંધ્યાના આછા તેજમાં હીરાનંદે આસપાસ નિહાળ્યું. મંદિરના સંબંધમાં ભૂત-વ્યંતરની ચાલતી વહેમવાર્તાઓનું સ્મરણ થતાં તે જરા ચમક્યો. એકે એક વૃક્ષમાં વ્યંતરનો વાસ હોય અને ભાંગલા મંદિરના છૂટાછવાયા પથ્થરો જાણે હમણાં જ ભૂતાવળનું રૂપ ધરી ભયંકર નૃત્યલીલા આદરશે, એવી કલ્પનામાં તણાયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy