SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે તે પૃથ્વીધર મંત્રી તે તીર્થ પોતાનું કરી તે ગિરિરાજ પરથી નીચે ઊતર્યો, કેમ કે છતી શક્તિએ (શક્તિ હોય તો) બીજાએ ગ્રહણ કરેલા તીર્થની ઉપેક્ષા કરવી ઉચિત નથી. આ બાબત ઉપર સિદ્ધસેન દિવાકરજીનું દૃષ્ટાંત છે. તેમણે સ્તુતિ વડે મહાદેવના લિંગનું વિદારણ કર્યું હતું, તથા શ્રી બપ્પભટ્ટિએ, બાળકના મુખકમળ વડે અંબા દેવીને કહ્યું હતું— ‘હુ દેવનું દ્રવ્ય આપ્યા પછી જ ભોજન કરીશ.’-એવો મંત્રીએ અભિગ્રહ કર્યો, તેથી તે દિવસે તેને ઉપવાસ થયો, ધર્મકાર્યના આરંભમાં, વ્યાધિના વિનાશમાં અને વૈભવની પ્રાપ્તિમાં જો વિલંબ કરવામાં આવે તો તે શુભકારક નથી, તેમ દેવદ્રવ્ય આપવામાં પણ વિલંબ કરવો શુભકારક નથી. કહ્યુ છે કે— ‘‘દેવદ્રવ્યની આવકને જે ભાંગે, અંગીકાર કરેલું દેવદ્રવ્ય આપે નહીં અને દેવદ્રવ્યનો નાશ થતો હોય તેની જે ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં ભમે છે.'' (૬૭) “પુત્રાદિકને વેચવા, અથવા પરને ઘેર દાસપણું કરવું, એમ કરીને પણ, પોતાના આત્માના હિત માટે જ, દેવદ્રવ્ય આપી દેવું.'' (૬૮) ‘‘ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવો, સાધુનો ઘાત કરવો, શાસનની નિંદા કરવી અને સાધ્વીના બ્રહ્મચર્યનો ભંગ કરવો—આ બધા બોધિલાભના મૂળને બાળી નાંખવામાં અગ્નિ સમાન છે.'' (૬૯) પેથડકુમાર ચરિત્ર ૧૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy