SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ થતાં હર્ષ સાથે શ્રી નેમિનાથને નમ્યા અને સ્નાત્ર, પૂજા, ધ્વજારોપણ, નૃત્ય અને સ્તુતિ વગેરેથી અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. પછી ઇંદ્રમાળ પહેરવાના સમયે સર્વ સંઘના લોકો કૌતુકવાળા બન્યા. તે વખતે નેમિનાથની ડાબી બાજુ એ સંઘપતિ (પૂર્ણ) ઊભો રહ્યો અને મંત્રી (પેથડ) પ્રભુની જમણી બાજુ ઊભો રહ્યો. આ પ્રમાણે તે બન્નેની સ્થિતિ પ્રથમ તો જય અને પરાજયને પ્રગટ કરતી હતી, કેમ કે શ્રી નેમિનાથનો જમણો હાથ જે તરફ હોય તેનો જ જય થાય છે. તે પછી તીર્થને ગ્રહણ કરવામાં વ્યાકુળ હૃદયવાળા તે બન્ને અનુક્રમે સોનામહોરો, તે પછી સુવર્ણના શેરના પ્રમાણો અને તે પછી સોનાની ઘડીઓ બોલવા લાગ્યા. તેમાં પેથડ મંત્રીએ ઇંદ્રમાળને માટે સુવર્ણની પાંચ ધડી કહી, ત્યારે તેણે (દિગંબરી પૂર્વે) છ ઘડી કહી. ત્યાર પછી તે બન્ને સાત ધડી, આઠ ધડી ઇત્યાદિક અનુક્રમે કહેવા લાગ્યા. છેવટે તે વખતે તત્કાળ પૂણે સોળ ધડી આપવાનું કહ્યું અને આઠ દિવસની મુદત માંગીને સુવર્ણ લાવવા માટે ગયો. મંત્રીએ પણ દસ દિવસની મુદત માગીને, એક ઘડીમાં એક યોજન ચાલે એવી શીવ્ર ગતિવાળી ઊંટડીને, સોનું લાવવા માટે, માંડવગઢ મોકલી. પૂર્ણ નામના દિગંબર સંઘપતિએ સંઘના સર્વ લોકો પાસે જેટલું હોય તેટલું સુવર્ણ માગ્યું, ત્યારે લોકોએ કડાં, સોનામહોર વગેરે પોતપોતાનું સર્વ ધન આપ્યું. તે અને પોતાનું બધું સુવર્ણ એકત્ર કર્યું ત્યારે કુલ અઠ્ઠાવીશ ધડી સુવર્ણ થયું. પછી જ્યારે ફરીથી ઇંદ્રમાળને માટે વાદ થયો, ત્યારે તે પૂર્ણ અઠ્ઠાવીશ ધડી સુવર્ણ બોલ્યો; તે પેથડકુ માર ચરિત્ર ૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy