SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તે આરાધક છે માટે તેને દંડ કરવો કેમ ઉચિત હોય ? વળી, હું તમારી દાસી છું તેથી મારા પર કૃપા કરીને આ બીજા રંક જેવાને પણ આપ મૂકી દો. આના દંડથી ઉત્પન્ન થતાં પાપો વડે મારો આત્મા નરકનો અતિથિ ન થાઓ.” તે સાંભળી ક્રોધથી રાતા થયેલા નેત્રવાળા રાજાએ કહ્યું : “હે દેવી ! આમને માટે તું વધારે ન બોલ. મારી આજ્ઞાનો ભંગ કરવાથી શત્રુની ક્રિયાને લાયક થયેલા આ બેમાંથી એકને પણ હું છોડવાનો નથી.” કહ્યું છે કે “રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, બ્રાહ્મણોની આજીવિકાનો નાશ કરવો અને પત્નીની જુદી શય્યા રાખવી, આ તેમનો શસ્ત્ર રહિત વધ કહેલો છે.” (૬૨) આ પ્રમાણે તે બન્નેના અશુભમાં જ દૃઢ ચિત્તવાળા રાજાને જાણીને હૃદયમાં પશ્ચાત્તાપ પામતી રાણી રોષ કરીને ચાલી ગઈ. બે-ત્રણ દિવસ ગયા છતાં પણ તેણે રોષનો ત્યાગ ન કર્યો ત્યારે કામદેવથી ગ્રહણ કરાયેલા હૃદયવાળો રાજા તેણીને શાંત કરવા તેણીની પાસે આવ્યો. કહ્યું છે કે જેમના હાથમાં ખ ગ હોય તે વખતે જેમની પાસે ત્રણ જગત તણખલા જેવા સમાન લાગે છે, તેઓ પણ કોપ કરતી પ્રિયાના નેત્રનો ત્રીજો ભાગ ભમવાથી ભય પામે છે. પછી રાજાએ રાણીને કહ્યું : “હે પ્રાણેશ્વરી ! તારા વચનથી તે બન્નેને મેં જીવતા છોડયા છે, પરંતુ આગળ ઉપર જુગાર-વ્યસનની ૧. નેત્રના છેડાના કટાક્ષથી. પેથડકુમાર ચરિત્ર ૧ રૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy