SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યના કર્તા શ્રી રત્નમંડન ગણિ તપાગચ્છીય આચાર્ય શ્રી સોમસુંદરસૂરિના પટધર રત્નશખરસૂરિના શિષ્ય નંદિરત્નના શિષ્ય પં. શ્રી રત્નમંડન ગણિએ (જે ઓ આગળ જતાં આચાર્ય શ્રી રત્નમંડનસૂરિજીના નામે પ્રસિદ્ધ થયા એમણે) સંસ્કૃત ભાષામાં ઘણા ગ્રંથો રચ્યા છે. આ “સુકૃતસાગરના સંબંધમાં એક વિચાર એ આવે છે કે, આ કાવ્યની રચના થઈ અને પેથડ-ઝાંઝણનો સ્વર્ગવાસ થયો તે પછીના વચગાળાના સમયમાં પેથડ-ઝાંઝણના પ્રસંગો વર્ણવતી નાની-મોટી કોઈક પણ કૃતિ રચાઈ હોવી જોઈએ કે જેના આધારે આ “સુકૃતસાગર'ની રચના થઈ હોય એવો સંભવ છે. જોકે આ વિચારનો કોઈ આધાર નથી–આ તો માત્ર કલ્પના જ છે અને એનું કારણ એ છે કે અનેક ઘટનાથી સભર એવા જીવનની સળંગ-રે માહિતી માત્ર જનતાની દંતબત્રીશીએ સવાસોથી વધુ વર્ષ સુધી કેવી રીતે અને કેવા રૂપમાં જળવાઈ શકે ? આ ચરિત્રમાં પેથડકુમારના જીવનની વ્યવસ્થિત અને સળંગ માહિતી મળે છે તેથી આવું અનુમાન કરવાનું મન થાય છે. બીજી વાત એ પણ છે કે, સુકૃતસાગરની રચના પહેલાંની ઔપદે શિક રચનાઓમાં પેથડના પ્રસંગો જોવા નથી મળતા. આ ચરિત્રમાં દેદાશાહ, પેથડકુમાર અને ઝાંઝણકુમારના સદ્ ભાવપ્રેરક પ્રસંગો વર્ણવાયા છે. પેથડકુમાર ચરિત્ર (14) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy