SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ચરિત્રકાર શ્રી રત્નમંડન ગણિએ આ ગ્રંથની રચના ક્યારે કરી ? ૫. દેવગિરિ (દોલતાબાદ)ના દેરાસરનું રૂપાંતર ક્યારે થયું? – આવા પ્રકારના પ્રશ્નો ઊપજે તે સ્વાભાવિક છે. તે પ્રશ્નોના ઉત્તર મેળવવા જે થોડી શોધખોળ થઈ શકી તેનું તારણ આ પ્રમાણે છે : ૧. વિ. સં. ૧૨૮૦ આસપાસ પેથડકુમારનો જન્મ અને વિ. સં. ૧૩૩૫ પછી અને વિ. સં. ૧૩૪૦ પહેલાં એમનો સ્વર્ગવાસ ઘટે છે. ૨. વિ. સં. ૧૩૫૭માં આચાર્ય ધર્મઘોષસૂરિજીનો સ્વર્ગવાસ. એટલે પેથડકુમાર અને ઝાંઝણકુમાર એ બન્નેને આ સૂરિજીની નિશ્રાનો લાભ મળ્યો હતો. ૩. દેવગિરિનું દેરાસર વિ. સં. ૧૩૩૫માં બંધાયું. ૪. ચરિત્રકાર શ્રી રત્નમંડન ગણિએ આ ચરિત્રને અંતે આપેલી પ્રશસ્તિમાં એના રચનાસંવતનો ઉલ્લેખ કર્યો નથી. પણ ઉપદે શતરંગિણીનો રચના સંવત ૧૫૧૭ મળે છે તેથી તે અરસામાં આ ગ્રંથ રચાયો હોય તેમ અનુમાન થઈ શકે છે. પ. દેવગિરિના દેરાસરના રૂપાંતરની વિગત માટે આ પુસ્તકની પુરવણી ૪ જોવી. પેથડકુમાર ચરિત્ર • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • (13) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy