SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ ચરિત્ર ઊપજયો. એણે મૂછે વળ દીધો. સભા આખી વાહવાહ કરવા લાગી. સુરસુંદરી બોલી : 'સાચું બોલ્યા, પિતાજી ! જગતને જીવાડનાર બે જ જણ : એક મહીપતિ અને બીજો મેહુલો.” સુરસુંદરીની આ વાણી સાંભળી રાજા પ્રસન્ન થયો. સભા પણ વાહવાહ કરવા લાગી. પણ અરે ! આ મયણા હજી કેમ ચૂપ ઊભી છે ? તેનું મસ્તક કેમ ડોલતું નથી ? તે કેમ કાંઈ બોલતી નથી ? રાજા કહે : “મયણા, દીકરી ! તું હજી કેમ ચૂપ છે ? મયણાના મોં પર શરમના શેરડા પડ્યા છે. હાથ જોડી એ કહે છે : “પિતાજી ! તમારી દીકરી છું, તમે ભણાવી છે, ને હું ભણી છું. ભણ્યાં પણ ગયાં નહિ તો શું ? ભણતરવાળો અસત્ય ન ભણે. પિતાજી ! મા કરો જૂઠ ગુમાન ! વિવેક વિના રાજા નથી. સવિચાર વિના શાસ્ત્ર નથી. ન્યાય વિના સભા નથી. આપને આટલો ગર્વ છાજતો નથી. રાજા તો નિમિત્ત માત્ર છે. થવું ન થવું એ કંઈ માનવીના હાથની વાત નથી. બધા કર્યા કરમના ખેલ છે.” રાજાની આંખમાં અગ્નિ પ્રગટ્યો. ક્રોધથી એની કાયા કંપવા લાગી : “અરે ! મારું ફરજંદ થઈને મારું અપમાન ? રે દીકરી ! સભામાં તને આવું બોલતાં લાજ ન આવી ? ભલી રે ભણી તું આજ ! અરે, છે કોઈ હાજર ? એક કહેતાં એકવીસ હાજર : “ખમા મારા ધણીને. કહો, કહો, કંઈ આપની આજ્ઞા ! હુકમ હોય તો પહાડ તોડીએ, હુકમ હોય તો પાતાળ ભેદીએ. અમે તો ચિઠ્ઠીના ચાકર.” જાઓ. પુરોહિતજીને બોલાવો. મારી પ્રિય પુત્રી સુરસુંદરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002062
Book TitleShripal Charitra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy