SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ બીજે ૬૧ સિંહ મહારાજાએ બંદીવાન બન્યા પછી પણ કોઈ જાતના ધમપછાડા ન માર્યા. સંસાર પણ એક બંદીખાનું જ નહોતું ? આવા વિરાગવાસિત વિચારે એમને દુર્ગાનથી વિમુખ રાખ્યા. આખરે પરમ શાંતિથી જીવનનો અંત આણવા એમણે અનશન વ્રત આદર્યું. આનંદકુમારથી એ પણ સહન ન થયું. પોતાને જગત પાસે વધુ લાંછિત-તિરસ્કૃત બનાવવા માટે જાણી જોઈને સિંહ ભૂખમરો વેઠે છે તે જાણીને, એ ડોસાની અવળાઈ ઉપર એને ભારે ક્રોધ આવ્યો. આવાને જીવતા રાખવા એ જોખમ છે, એવો નિર્ણય કરી તેણે જાતે જઈને સિંહ મહારાજાનો વધ કર્યો. પ્રાણાંત કષ્ટ થવા છતાં મહારાજા પોતાના ધર્મ અને ક્ષમાભાવને વળગી રહ્યા. આનંદ બિચારો શું કરે ? કર્મવિપાકના હાથમાં તે હથિયાર માત્ર બન્યો છે અને મહારાજાની એ વિચારશ્રેણી બરાબર હતી. જે અગ્નિશર્માને પોતે અજાણતાં દુભવ્યા હતા, ત્રણ ત્રણ વાર માસ માસને અંતે પારણા માટે બોલાવી પાછા વાળ્યા હતા અને જેણે મરતાં મરતાં પોતાની વેરવૃત્તિને જ તીણી, ધારદાર બનાવી હતી તે અગ્નિશર્મા જ માત્ર દેહ-વસ્ત્ર બદલી પુત્ર આનંદરૂપે અહીં અવતર્યો હતો. કર્મના ફળ આપનારી શક્તિ પાસે એ પણ લાચાર હતો. ૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002061
Book TitleVerno Vipak
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy