SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વેરનો વિપાક સૈન્ય, સેનાપતિ વગેરે તૈયાર હોવાથી અને ચોઘડિયું સાચવવાનું હોવાથી પોતે પણ યુદ્ધનો સાજ સજવા લાગ્યા. એટલામાં અચાનક એમને અગ્નિશર્માનું સ્મરણ થઈ આવ્યું. અંગરક્ષક પાસે જ ઊભો હતો. કહ્યું : “જો તો ખરો, પેલા તપસ્વી આવ્યા હોય તો એમને આદરથી અહીં બોલાવી લાવ !” અંગરક્ષક તપસ્વીને નહોતો ઓળખતો. રાજકારે ભિક્ષકો, તપસ્વીઓ, યાચકો સેકડોની સંખ્યામાં આવે. એમાંથી અગ્નિશર્માને શી રીતે જુદા પાડવા એ એનાથી ન સમજાયું. એ કંઈ પૂછે તે પહેલાં જ ગુણસેન એની મુશ્કેલી કળી ગયા. બોલ્યા “ મહિના મહિનાના ઉપવાસ કરનારા, સાવ કૃશ થઈ ગયેલા, વિલક્ષણ આકૃતિવાળા એક આશ્રમવાસી ઊભા હોય તો બોલાવી લાવ!” આ વખતે અંગરક્ષક કંઈક સમજ્યો. એ દોડતો દરવાજા તરફ ગયો. પણ ત્યાં કોઈ કૃશકાય ભિક્ષુક ન દેખાયો. તપાસ કરતાં જણાયું કે તપસ્વી તો થોડી ક્ષણો પૂર્વે જ દરવાજા પાસે આવીને-ઘડીક રાહ જોઈને પાછા ચાલ્યા ગયા હતા. અંગરક્ષક દરવાન પાસેથી સાંભળેલી વાત ગુણસેનને કહી સંભળાવી. એ વખતે ગુણસેનને એટલો આઘાત થયો કે ઘડીભર તો એને ચક્કર આવી ગયા. પાછા ગયા ?” ગુણસને માત્ર એટલું જ પૂછ્યું. પણ એના શબ્દ શબ્દ વેદના ગૂંથાયેલી હતી. આટઆટલી કાળજી રાખવા છતાં તપસ્વીને બીજા મહિનાના અંતે પણ ખાલી હાથે પાછું ફરવું પડ્યું ? ગુણસેન ઉતાવળે પગલે મહેલની બહાર આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002061
Book TitleVerno Vipak
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy