SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચોથો કરમાયેલા ફૂલછોડ ફરી નવું જીવન પામતા હોય એમ ધનદેવ ધારી ધારીને એમના પ્રત્યેક હાવભાવનું નિરીક્ષણ કરતો. આવે વખતે એ કંઈક ગહન ચિંતામાં સરી પડતો. આ દીન-દુ:ખીઓ એ જ જાણે કે એના આરાધ્ય દેવ હોય, તેમ આ ગરીબોના વિચારમાંથી ગરીબાઈ અને વિશ્વની એવી બીજી વિષમતાઓના ધ્યાનમાં ડૂબી જતો. રસ્તા ઉપર ઉભેલા અને વિચારમગ્ન બનેલા ધનદેવને એના મિત્ર સોમદેવે જગાડ્યો. સોમદેવે પૂછ્યું : મેં તો જાણ્યું કે આજે કાર્તિકી પૂર્ણિમા છે, એટલે કોઈ ઉદ્યાનમાં કે રંગમંડપમાં ગયા હશો. આ કંગાળોની કતારમાં તમને શું જોવા જેવું લાગ્યું ?” ધનદેવે સોમદેવ તરફ અર્થપૂર્ણ દૃષ્ટિ કરી. એની જીભ જરા સળવળી. પણ એને થયું કે દિલનું દર્દ આ પુરોહિતનો પુત્ર બરાબર નહિ સમજી શકે, છતાં ધનદેવે તંદ્રામાંથી જાગતો હોય તેમ સંક્ષેપમાં કહ્યું : “મને આ દરિદ્ર કંગાળોની તૃપ્તિ અને કૃતજ્ઞતા પાસે દુનિયાના બધા આનંદ-ઉલ્લાસ ફિક્કા અને કૃત્રિમ લાગે છે. એટલે જ જ્યારે જ્યારે પ્રસંગ મળે છે, ત્યારે ત્યારે એ જોયા કરું છું. આંખ અને મનની એ વાસના જાણે કે ધરાતી જ નથી.” ધનદેવ એટલું કહીને, સહેજ હસ્યો. પણ તમે પોતે ધારો તો, તમારે ત્યાં બેસીને ગરીબોને દાન આપી શકો છો. જીવનપર્યત ખર્ચો તો પણ ન ખૂટે એટલું ધન તમારા પિતાએ સંઘર્યું છે. તમને કોઈ ના પાડે છે ?” સોમદેવે પૂછ્યું. ધનદેવે એક ઊંડો નિસાસો નાખ્યો. એ નિસાસો જ જાણે કે એનો એક માત્ર ઉત્તર હોય એમ ધનદેવ કંઈ ન બોલ્યો. અંતરના આનંદ કે વેદનાની એકે એક વાત બીજાને સમજાવવામાં ધનદેવને ઘણીવાર સંકોચ થતો. નિકટના સ્નેહી કે મિત્ર પણ ધનદેવની મૂંઝવણ બરાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002061
Book TitleVerno Vipak
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy