SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકદૃષ્ટિને વંદના જે હથેળીના ચંદ્ર સરખું સ્પષ્ટ છે, ને જે એક જે મારું જ્યોતિ બને તેવું છે. હું એને વરું છું. અન્યને તિરસ્કારું છું. એ યુગદષ્ટિ આવી આખ્યાયિકાઓ જ આપી શકશે. ભાઈ સુશીલને કહીએ કે “લાવો. હજુ લાવો !” આ પ્રવેશક સમાપ્ત કરતાં પહેલાં મારો એક નમ્ર અસંતોષ પ્રગટ કરી લઉં. આમાંની બે કથાઓ મને કંઈક ખટકે છે. ૧ નિઃશંક શ્રદ્ધા : બે ધર્મભ્રષ્ટોના દાખલા પરથી શ્રેણિક રાજાએ આખા સંપ્રદાય પરની પોતાની આસ્થાને ડગવા ન દીધી. એનો સાર એમ ન નીકળવો જોઈએ કે જૈન પંથનો સમગ્ર સાધુસંપ્રદાય તો સદાય પવિત્ર જ છે અને એની પવિત્રતા પર કદી આશંકા લાવવી જ નહિ ! આ બોધ છેક જ વિપથગામી છે. એને હું “અશ્રદ્ધાનું નામ આપું. કદાચ આ તારતમ્યનો દુરુપયોગ થવા સંભવ છે. ૨. હરિબળ માછી : માછલું ન ઝાલવાના વતના કડક પ્રતિપાલનના પારિતોષિક તરીકે આ ગરીબ મચ્છીમારને અંધારામાં ભૂલથી કોઈ એક ધનવાન પણ ચોર યુવતીની પ્રાપ્તિ થાય છે. એ સાર પણ ત્યાજય જ છે. એ યુવતી કાંઈ એના વ્રત પર મોહીને નહોતી આવી. પણ અન્ય કોઈ આશકની સાથે નાસી આવેલી ને ભ્રમણાએ કરીને જ માછીમારને લઈ ચાલી ગયેલી. બેશક, વ્રતનો સાંસારિક બદલો મળવાની વાંછના સહજ છે. વ્રતધારીને સ્થૂલ સુખ સાંપડે એવી જાતનો વ્રતવિધિમાં રહેલો વ્યાજબી સંકેત છે. પણ તે સુખપ્રાપ્તિ આકસ્માતિક અથવા અશુદ્ધ ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy