SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અર્પણ + ક્ષમાશ્રમણ અરે, નંદિષેણ ! વિચારીને બોલતાં પણ તને કોઈએ શિખવ્યું નથી લાગતું. મારી સ્થિતિ હજી પણ તને નથી સમજાઈ ! એક તો ઘડીએ ઘડીએ મળત્યાગ કરવો પડે છે – શરીર સાવ જીર્ણ થઈ ગયું છે અને છતાં તું મને તારા સ્થાને આવવાનો આગ્રહ કરે છે ? તારામાં બુદ્ધિનો છાંટો જ ક્યાં બળ્યો છે ?” હશે, ક્ષમાશ્રમણ, મારી ભૂલ થઈ. હું આપને પગે ચાલીને આવવાનું નથી કહેતો. આપને વાંધો ન હોય તો આપને મારી કાંધ ઉપર બેસારીને ઉપાશ્રય સુધી લઈ જઈશ.” તો મારી ના નથી.” બીમાર મુનિએ પોતાની સમ્મતિ આપી. ભૂખ્યા-થાકયા-પાકયા નંદિપેણ, પોતાની કાંધ પર બીમાર મુનિને બેસારીને ઉપાશ્રય તરફ ચાલ્યા. એક ઠેકાણે નંદિષણ મુનિનો પગ સહેજ લથડ્યો. તરત જ વાગુબાણ છૂટ્યું : જરાક તો ભાન રાખ. મને આમ જાણી જોઈને શા સારુ ત્રાસ આપે છે ?” નંદિપેણનું વૈર્ય, આવા વાગુબાણ વાગવા છતાં અડગ જ રહે છે. બીમારને વધુ કષ્ટ ન થાય એટલા સારુ વધુ સાવધ બને છે. થોડે દૂર જતાં જ બીમાર મુનિએ નંદિપેણના દેહ ઉપર મળત્યાગ કર્યો. આવે વખતે તો સગી માતા પણ બાળક ઉપર ક્રોધ કર્યા વિના ન રહે. નંદિપેણ જરાય સૂગાયા વિના પોતાના મનને સમજાવે છે : બીમાર માણસનો શું દોષ કાઢવો ? એ તો દયાને પાત્ર છે. આ મુનિએ ખરેખર જ ન છૂટકે મળત્યાગ કર્યો હશે.” સુધાતૃષાના તેમજ એવા પ્રકારના બીજા પરિષહો વિષે સાધક પૂરો જાગૃત અને સાવધ રહી શકે, મનની શાંતિ ઉપર સંયમ રાખી શકે : પણ આ મળ-પરિસહ હિમા સમાં એવા શીતળ બળની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy