SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ચિલાતી પુત્ર ભૂમિને સ્પર્શે એવી રીતે માથું નમાવી ચિલાતીએ પહેલો જ પ્રશ્ન પૂછ્યોઃ ‘“ભગવાન્ હું ચિલાતીપુત્ર-એક દાસીનો પુત્ર. બીજે કોઈ સારે સ્થાને નહિ, દાસીની કૂખે જ કાં જન્મ્યો? મારા જેવા દીન દરદ્રીઓના આ જગત્ ઉપર એવી તે શી જરૂર હશે? ‘જન્મ એ અકસ્માત્ નથી. જન્મજન્માંતરનાં પુણ્યપાપ એમાં પોતાના ભાવ ભજવતા હોય છે. તું જો, જરા શાંત થા તો હું તને તારા જન્મનું રહસ્ય ટૂંકમાં સમજાવું' શ્રમણો એટલે ભવરોગના વૈદ્યો. શ્રમણના આ શબ્દોએ વાઘ જેવા વિકરાળ ભાસતા ચિલાતીને ગરીબ ગાય જેવો બનાવી દીધો. ફરી એણે બે હાથ જોડી, શ્રમણને ભાવભર્યું વંદન કર્યું. કહ્યું: ‘“ગુરુદેવ, જીવનભરનો ભાર આજે ઊતરે એવો થોડો વિશ્વાસ બેસે છે. કહો, કહો મારા દાસીપુત્ર તરીકેના જન્મ પાછળનું શું રહસ્ય છે?’’ 11 ‘‘એકલું જન્મનું રહસ્ય જાણવું છે કે આ કન્યાના તારા હાથે થએલા શિરચ્છેદનું રહસ્ય પણ સાંભળવું છે ?' “તો તો, ગુરુદેવ, આપને જ મારા તારણહાર માની, આપ કહો તેમ કરવા તૈયાર થઈ જાઉં' ચિલાતીનું અંતર આનંદ-હીલોળે ચડ્યું. શ્રમણ-મુનિ સંસારની ઘટમાળના પારગામી હતા. તેઓ આવા અનેક ઉન્માર્ગીઓના સમાગમમાં આવ્યા હતા. એમને સંયમ અને પ્રાયશ્ચિત્તને રસ્તે દોરવામાં નિમિત્તરૂપ બન્યા હતા. ચિલાતીનો ચહેરો જોતાં એમને આ કોઈ રીઢો પાપી છે એમ નહોતું લાગ્યું. અજ્ઞાન અને યૌવનમદે એને પાપના માર્ગે દોર્યો હતો, પણ એ પાપ એના અંતરને મથી રહ્યું છે—એમાંથી છૂટવા માગે છે એમ તેઓ ચિલાતીના નમ્ર વ્યવહાર ઉપરથી જોઈ શક્યા હતા. ચિલાતી જેવા માર્ગભૂલેલાઓને આખું વિશ્વ જ્યારે દાવાનળ જેવું લાગતું-સંસારીઓ તરફથી તેઓ ધૃણા અને તિરસ્કાર જ પામતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy