SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ છ વર્ષની ઉંમરે શિવલાલે શાળાનો અભ્યાસ ચાલુ કર્યો. બે માઈલ દૂર અરણી-ટીંબા નામના ગામે તેઓ ગામના બીજા છોકરાઓ સાથે ચાલીને ભણવા જતા. બે વર્ષ પછી તેમણે મોસાળ બાલંભામાં અભ્યાસ ચાલુ કર્યો. એમના મામા મણિભાઈ બાલંભાની શાળામાં શિક્ષક હતા. અહીં શિવલાલે ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. દરમિયાન મામા બાલંભા છોડી મુંબઈ જઈને નોકરી કરવા લાગ્યા. શિવલાલને પણ ત્યાં જવાનું મન થયું, કારણ કે હવે કિંઈક કમાઈને દળણાં દળતી માતાને મદદ કરવી જોઈએ. ત્યારે એમની ઉમર તેર-ચૌદ વર્ષની હતી. મુંબઈ જઈ કિશોર શિવલાલે અનાજની, કાપડની, ઈમારતી લાકડાની એમ જુદી જુદી જાતની દુકાને નોકરી કરી. એમાં ધીમે ધીમે સારા પગારની નોકરી મળતી ગઈ. તેઓ રકમ બચાવી વતનમાં માતાને મોકલાવતા. એથી માતાને રાહત થવા લાગી હતી. ઈ.સ. ૧૯૨૦ની આસપાસ દેશની સ્વતંત્રતા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલુ થયું હતું. મુંબઈમાં મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક વગેરેનાં ભાષણો સાંભળવા શિવલાલ ફાજલ સમયમાં જતા. ' વળી સ્થાનકમાં પધારેલા સાધુ મહાત્માઓનાં વ્યાખ્યાન સાંભળવા માટે પણ જતા. મુંબઈમાં કિશોર શિવલાલને વાંચવામાં તથા વ્યાખ્યાનો સાંભળવામાં રસ પડતો ગયો. એ દિવસોમાં એક રાજસ્થાની મુનિશ્રી સોભાગ્યમલજી મુંબઈ પધાર્યા હતા. શિવલાલને એમનાં વૈરાગ્યપ્રેરક વ્યાખ્યાનો એટલા બધાં ગમ્યાં કે તેમણે એમની પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ સૌભાગ્યમલજી વિહાર કરીને ગયા એટલે એ વાત આગળ વધી નહિ. : દરમિયાન માતા મોતીબહેને પોતાની તબિયત સારી રહેતી ન હોવાથી શિવલાલને પૂછ્યા વગર એમની સગાઈ વાંકાનેરની એફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy