SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ઊભા વ્યાખ્યાન આપે છે.” સામાન્ય રીતે જૈન સાધુ દિવસે ઉપાશ્રયમાં પાટ ઉપર બેઠાં બેઠાં વ્યાખ્યાન આપે. ફાનસ રાખી શકે નહિ. એટલે એક જૈન સાધુનું આ પ્રકારનું આચરણ મારામાં જિજ્ઞાસા જન્માવે એવું હતું. આ રીતે સંતબાલજી મહારાજના નામનો મને પહેલો પરિચય થયો હતો. પછીથી એમના જીવન વિશે વાંચવા મળ્યું હતું. ત્યારપછી એમનું પ્રત્યક્ષ દર્શન ત્યારે થયું હતું કે જ્યારે તેઓ અમારે ઘરે વહોરવા પધાર્યા હતા. તેઓ ત્યારે આહારમાં ફક્ત બે જ વાનગી વાપરતા-દૂધ અને રોટલી. મહારાજશ્રી સાથે વિશેષ પરિચય એમના સ્થિરવાસ પછી થયો હતો. સંતબાલજી મહારાજનો જન્મ શ્રાવણ સુદ પૂર્ણિમા વિ. સં. ૧૯૬૦ (તા.૨૬મી ઑગસ્ટ ૧૯૦૪)માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટોળ નામના પાંચસો માણસની વસતીવાળા નાનકડા ગામડામાં થયો હતો. એમનું નામ શિવલાલ રાખવામાં આવ્યું હતું. એમને એક નાની બહેન હતી જેનું નામ મણિ હતું. શિવલાલના પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ મોતીબહેન હતું. તેમની આર્થિક સ્થિતિ તદ્દન સાધારણ હતી. ટોળ ગામમાં કંઈ કમાણી ન હતી એટલે તેઓ પાસેના વાંકાનેર શહેરમાં રહેવા ગયા. પરંતુ સંજોગવશાત્ ત્યાંથી પાછા ફરવું પડ્યું હતું. ત્યાર પછી કુટુંબના નિભાવ માટે મોતીબહેન મીઠાઈ બનાવી આપતા અને નાગજીભાઈ તે લઈને વાંકાનેર જતા અને રસ્તામાં ઊભા રહી મીઠાઈ વેચતા; એ લેનાર ઘણુંખરું નાનાં બાળકો રહેતાં. અપૂરતું પોષણ, નહિ જેવી આવક અને વધુ પડતો પરિશ્રમ–આ બધાંને કારણે નાગજીભાઈનું અકાળે અવસાન થયું હતું. તે વખતે નિર્ધનતા એટલી બધી હતી કે મૃતદેહના મુખમાં મૂકવા માટે બેઆની જેટલી રકમ પણ મોતીબહેન પાસે નહોતી. પરંતુ એમણે એ કોઈને જણાવા દીધું નહોતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy