SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ अदीणमणसो चरे । સંતોષીપણાની ખબર પડે છે. અદીન રહેવું એટલે કે પોતાના સત્ત્વની ખુમારીથી રહેવું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ માણસે પોતાની પ્રતિભા, ચિત્તની પ્રસન્નતા ઝાંખી ન થવા દેવી જોઇએ. જ્યારે જીવનમાં વિપરીતતા, પ્રતિકૂળતા આવે ત્યારે લાચાર ન બનતાં, સંસારમાં જે કંઈ બને છે તે પોતપોતાનાં શુભાશુભ કર્માનુસાર બને છે એવી દૃષ્ટિ કેળવી સાંત્વન, સમાધાન મેળવવું જોઇએ અને પોતાનાં અશુભ કર્મોના ક્ષયોપશમ માટે પ્રબળ પુરુષાર્થ કરવા પગલું ઉપાડવું જોઇએ. જ્યાં સાચી સમજણ છે, તત્ત્વદૃષ્ટિ છે ત્યાં દીનતા હોતી નથી, ટકતી નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જીવને સંસારમાં ક્યાંય દીનતા દર્શાવવા જેવું રહેતું નથી. જીવ એટલા ઊંચા આત્મભાવમાં આવી જાય છે કે બાહ્ય પ્રતિકૂળતાઓનું એની પાસે કશું ચાલતું નથી. એટલા માટે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના જાણીતા સ્તવન ‘હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં' માં કહ્યું છેઃ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવકે રસ આગે; આવત નહિ કોઉ માનમેં. Jain Education International ૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy