SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ શેક્સપિય૨ ઉપરાંત શૈલી, કિટ્સ, વર્ડઝવર્થ, ટેનિસન, બ્રાઉનિંગ, રોબર્ટ બર્ન્સ વગેરે આંગ્લ કવિઓની કવિતા કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય વર્ષો સુધી એમણે કર્યું હતું. એટલે એ કવિઓની અનેક પંક્તિઓ પણ એમને કંઠસ્થ હતી. વાતચીતમાં પ્રસંગ અનુસાર જ્યારે તેઓ આવી પંક્તિઓ ટાંકતા ત્યારે એમની સ્મૃતિ અને બહુશ્રુતતા માટે આદર ઊપજતો. સંસ્કૃત ભાષામાં લખાયેલું વાલ્મીકિનું રામાયણ એ પટેલ સાહેબના સ્વાધ્યાય-પરિશીલનનો એક મહત્ત્વનો ગ્રંથ જીવનભર રહ્યો હતો. એનો એમણે ગુજરાતીમાં ગદ્યસંક્ષેપ કર્યો હતો અને એ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયો હતો. એ વિશે પોતાને જે કંઈ મૌલિક ચિંતન વ્યક્ત કરવા જેવું લાગ્યું તે એમણે આ ગ્રંથમાં વ્યક્ત કર્યું છે. પટેલ સાહેબનું એક સૌથી વધુ યાદગાર અને મૂલ્યવાન કાર્ય તે`Collected works of Mahatma Gandhi' છે. પટેલ સાહેબે આ શ્રેણીના નેવુ જેટલા ગ્રંથોમાં ગાંધીજીના લખાણોના અનુવાદ અને સંપાદનનું કાર્ય કર્યું છે. એ કાર્ય ક૨વા માટે તેઓ કુટુંબને અમદાવાદમાં રાખીને એકલા દિલ્હી જઇને રહ્યા હતા અને હાથે રસોઈ કરીને જમતા. પરંતુ એથી એમની તબિયત બગડતી ગઈ અને લોહીની ઊલટી થતી. એટલે ચાર વર્ષ દિલ્હી રહી તેઓ અમદાવાદ પાછા ફર્યા. અમદાવાદમાં રહીને કામ ક૨વાની સરકાર તરફથી એમને પરવાનગી આપવામાં આવી. આમ ૧૯૬૧થી ૧૯૮૫ સુધી અને ત્યાર પછી પણ દિવસ-રાત પરિશ્રમ કરીને ગાંધીજીનાં સર્વ લખાણોનું વ્યવસ્થિત રીતે, કાલાનુક્રમે એમણે સંપાદન કર્યું છે, અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને સાથે સાથે પોતાની સંપાદકીય નોંધો પણ લખી છે. આ ભગીરથ કાર્ય કરવાને નિમિત્તે તેઓ ગાંધીજીના જીવન અને કવન વિશે એટલા બધાં ઓતપ્રોત થઈ ગયા હતા અને એટલા જ માહિતગાર થયા હતા કે કયા વિષય પર ગાંધીજીએ ક્યાં, ક્યારે અને શું કહ્યું છે તે ચોક્કસાઈપૂર્વક કહી ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy