SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ એક વાર તેઓ મુંબઈમાં અમારે ઘરે આવ્યા ત્યારે ઘરમાં સિતાર, હાર્મોનિયમ, તબલાં જોઇને એમણે પ્રશ્ન કર્યો કે સંગીતનો કોને શોખ છે? મેં કહ્યું મારો પુત્ર અમિતાભ (ઉ.વ.૧૪) અને પુત્રી શૈલજા (ઉ.વ.૧૬) માટે સંગીતના શિક્ષક રાખ્યા છે. શિક્ષક બંનેને ગીતો ગાતાં અને જુદાં જુદાં રાગ વિશે શીખવે છે તથા અમિતાભને તબલાં તથા શૈલજાને સિતાર વગાડતાં શીખવ્યું છે. એમણે શૈલજાને સિતાર વગાડવાનું કહ્યું. શૈલજાએ સિતાર સંભળાવી એથી એમણે પોતાની પ્રસન્નતા દર્શાવી હતી અને પોતાના સંગીતના શોખની વાતો કરી હતી. પટેલ સાહેબને કેટલાંક વર્ષોથી આંતરડાની તકલીફ હતી. એ અંગે તેઓ સાવધાન થઈ ગયા હતા. ખાનપાનમાં તેઓ કોઇના આગ્રહને વશ થતા નહિ. એક વાર તેઓ અમારે ઘરે પધાર્યા હતા ત્યારે ચા પીવા માટે અમે આગ્રહ કર્યો. છેવટે એમણે કહ્યું કે ‘ચા હું તો જ પીઉં, જો તમારા રસોડામાં જઇને મારાં પત્ની જાતે ચા બનાવે તો.’ અમે એમની એ દરખાસ્ત સ્વીકારી. એમનાં પત્નીએ ચા બનાવી તે એમણે પીધી હતી. પટેલ સાહેબને પાણી બરાબર ઉકાળીને પછી નીચે ઉતારીને એમાં અમુક જ પ્રમાણમાં ચાની પત્તી નાખવામાં આવે અને એમાં નહિ જેવું દૂધ હોય તો એવી ચા જ માફક આવતી હતી. એમનાં પત્ની એ પ્રમાણે બનાવતાં. 26 પટેલ સાહેબને અધ્યાપનકાળ દરમિયાન શેક્સપિયરનાં કોઇપણ બે નાટકો દર વર્ષે બી.એ. કે એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવવાનાં આવતાં. આથી શેક્સપિયરનાં નાટકો એ જીવનભર એમનો અત્યંત પ્રિય વિષય રહેલો. શેક્સપિયરની સેંકડો પંક્તિઓ એમને કંઠસ્થ હતી. અમદાવાદમાં અને અન્યત્ર કેટલીક સંસ્થાના ઉપક્રમે એમણે એ વિષય પર વ્યાખ્યાનો પણ આપેલાં. તદુપરાંત ‘ટ્રેજેડી, જીવનમાં અને સાહિત્યમાં' એ વિષય એમણે આપેલાં વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થયેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy