SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ તેઓ કેટલીયે વા૨ હોસ્પિટલમાં જઈ આવ્યા હતા, પરંતુ તેમનું મનોબળ અદ્ભુત હતું અને જીવન જીવવામાં તેમનો રસ સક્રિય હતો. તેઓ સતત વાંચનમાં, અધ્યયનમાં અને લેખનકાર્યમાં જીવનના અંત સુધી પરોવાયેલા રહ્યા હતા. તેમનો જીવનરસ ક્યારેય સૂકાયો ન હતો. ‘મારી વિસ્મયકથા'માં એમણે લખ્યું છે, ‘વૃદ્ધાવસ્થાની નિર્બળતામાં હું પ્રમાણમાં માનસિક સ્વસ્થતા ભોગવું છું તેનું કારણ મારામાં સંકલ્પબળની વિશેષતા છે એવું નથી પણ મારામાં બાળકસ્વભાવનું એક સારું લક્ષણ રહ્યું છે. હું બાળક જેવો છું અને ઘરડો થયો તો પણ એવો જ રહ્યો છું. બાળક પોતાના રસની વસ્તુને આગ્રહપૂર્વક વળગી રહેતું નથી. એક રમકડું ન મળે કે ખોવાઈ જાય કે ભાંગી જાય તો થોડીવાર રડે, પણ પછી બીજું મળે એટલે પહેલું ભૂલી જાય. મારા સ્વભાવમાં પણ એવું કંઈક છે. સમયના પ્રવાહની સાથે મારામાં નવા રસ જાગ્રત થતા રહ્યા છે અને આજ સુધી એ ચાલુ છે.’ ૭૧ પોતાની તબિયત અને મૃત્યુ માટેની તૈયારી વિશે ૧૯૮૫માં ‘પ્રબુદ્ધ જીવન'માં એમણે લખ્યું હતું, ‘માર એક ડૉક્ટર વડીલે મને ૧૯૬૦માં કહ્યું હતું કે ‘ચીમનભાઈ, તમારા શરીરના ઘડિયાળની ચાવી ઊતરી ગઈ છે. હવે તમે જેટલું જીવો તેટલી ઇશ્વરની કૃપા.' એ કૃપા પચીસ વર્ષ ચાલી અને હજુ કંઈક ચાલશે એમ લાગે છે. મારા જીવનનો અંત જ્યારે આવે ત્યારે હું તૈયાર થઇને બેઠો છું.' ૧૯૮૫માં એમ લખ્યા પછી ઠેઠ ૨૦૦૪ના જાન્યુઆરી સુધી તેઓ આવી નાદુરસ્ત તબિયત છતાં જીવી શક્યા એ બતાવે છે કે એમની જિજીવિષા કેટલી પ્રબળ હતી. હજુ થોડા વખત પહેલાં જ એમનો પત્ર મને મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે આખો દિવસ અશક્તિ રહે છે, પરંતુ ‘સાંજના પાંચ-છ વાગ્યા પછી હું સ્વસ્થતા અનુભવું છું.' અમારા વડીલ ડૉ. અનામી સાહેબ દ્વારા અને પ્રો. જયંતભાઈ કોઠારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy