SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પૂ. મહારાજશ્રીએ વિનયથી કહ્યું, “આપની કૃપાનું એ પરિણામ છે.” - પૂ. મહારાજશ્રીએ મિઠાઈ, મેવા, ફળ વગેરેનો દીક્ષા પછી થોડાં વર્ષોમાં ત્યાગ કર્યો હતો. કેરીની તો એમણે આજીવન બાધા લીધી હતી. તેઓ ઘણુંખરું એકાસણાં જ કરતા. ગોચરી વાપરતી વખતે એ માટે દસ-બાર મિનિટથી વધુ સમય આપતા નહિ. જરાક જેટલું વાપરીને તરત ઊભા થઈ જતા. કેટલાંયે ચાતુર્માસમાં આહારમાં તેઓ ફક્ત બે જ વાનગી વાપરતા. દાળ અને રોટલી અથવા શાક અને રોટલી. તેઓ કહેતાઃ “દાળ અને રોટી, બીજી વાત ખોટી.” મહારાજશ્રી અંડિલ (ઠલ્લે) માટે વાડામાં જવાનું પસંદ કરતા નહિ, પણ ગામને પાદરે, ખુલ્લામાં યોગ્ય ભૂમિમાં જવાનું રાખતા. એ માટે બે-ત્રણ કિલોમિટર ચાલવું પડે તો કચવાટ વગર ચાલતા. તેઓ ઘણુંખરું બપોરે સ્પંડિલ જવાનું રાખતા. જ્યારે રસ્તો બહુ તપી ગયો હોય ત્યારે પણ શાંતિથી કશી પણ ફરિયાદ કર્યા વિના ચાલતા જતા. શારીરિક સહિષ્ણુતા એમનામાં ગજબની હતી. અમદાવાદમાં હોય તો ઉનાળામાં ભર બપોરે ઉઘાડા પગે સાબરમતીના કિનારે સ્પંડિલ જતા, તેમ છતાં એમના ચહેરા પર પ્રસન્નતા રહેતી. જેવી શારીરિક સહિષ્ણુતા એમનામાં હતી તેવી જ માનસિક સહિષ્ણુતા હતી. કદાચ કોઈ સાધુ કે શ્રાવક ગમે તેમ બોલી જાય તો પણ તેઓ સમતાભાવ રાખતા. ગમે તેવા વ્યવહારમાં તેઓ સામી પ્રતિક્રિયા કરતા નહિ. એક વખત પાલિતાણામાં શ્રાવિકાશ્રમના દેરાસરમાં મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા હતી ત્યારે અમદાવાદથી ૬૦ ઠાણા સાથે તેમનો વિહાર નક્કી થયો. એ દિવસોમાં વિહાર ઘણો કઠિન હતો. આટલા બધા ઠાણા હોય અને રસ્તામાં ગોચરી વગેરેની તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy