SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા જતું. પૂ. મહારાજશ્રીના જીવનના પ્રેરક, પ્રબોધક, પ્રકાશક અનેક પ્રસંગો નોંધાયા છે. એમાંથી કેટલાંક અહીં આપણે જોઇશું. પૂ. મહારાજશ્રીના જીવનમાં કોઈ બાહ્ય ઠાઠમાઠ નહિ, મોટાઈ નહિ, સીધું સાદું સરળ જીવન, કોઈ ચીજવસ્તુનો પરિગ્રહ નહિ, નામનાની કોઈ ખેવના નહિ, હંમેશાં તેઓ પ્રસન્ન રહેતા. આત્મશ્લાધા નહિ અને અહંકારનાં વચનો નહિ, તદ્દન નિઃસ્પૃહ અને સંતોષી વૃત્તિવાળા તેઓ હતા. આથી એમના સંપર્કમાં આવનાર એમના ચારિત્રની સુવાસથી આકર્ષાતા. પૂ. મહારાજશ્રી વસ્ત્ર વગેરેનો ઓછામાં ઓછો પરિગ્રહ રાખતા. તેઓ વિહારમાં હોય ત્યારે પહેરેલાં કપડાં સિવાય કશું રાખે નહિ. તેમના વિટીયામાં એક ચોલપટ્ટો પણ રાખ્યો ન હોય. એક વખત એમના ગુરુદેવ પૂ. દાનસૂરિજીએ કહ્યું, “પ્રેમવિજય, વિહારમાં તારે એક ચોલપટ્ટો સાથે રાખવો જોઇએ. પહેરેલો ચોલપટ્ટો ઓચિંતો કોઈ વાર ફાટી જાય તો શું કરે ?' પૂ. મહારાજશ્રીએ કહ્યું, “ગુરુદેવ ! આપની કૃપાથી એવું નહિ જાય. અને થશે તો બધું ગોઠવાઈ જશે.” એક વાર ખરેખર એવું બન્યું કે વિહારમાં તેઓ હતા ત્યારે એક ગામમાં મુકામ કર્યો હતો. મહારાજશ્રી ગોચરી વહોરીને આવ્યા અને જર્જરિત થયેલો ચોલપટ્ટો ફાટી ગયો. બીજો ચોલપટ્ટો હતો નહિ. પૂ. દાનસૂરિએ કહ્યું, “પ્રેમવિજય ! મેં કહ્યું હતું કે એક વધારાનો ચોલપટ્ટો રાખ. જો ફાટી ગયો ને ? હવે તું શું કરીશ ?” પૂ. મહારાજશ્રી ઉત્તર આપે તેટલામાં તો ઉપાશ્રયમાં એક શ્રાવક દાખલ થયા. એમના હાથમાં કાપડનો તાકો હતો. એમણે કહ્યું, “ગુરુ મહારાજ આપને વહોરાવવા માટે આ લઈ આવ્યો છું.” પૂ. શ્રી દાનવિજયજીએ પૂ. મહારાજશ્રી સામે જોઈને કહ્યું, “પ્રેમવિજય ! તારી શ્રદ્ધા ગજબની છે !' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy