SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૨૯ રહેનાર, પૂ. શ્રી ભાનુવિજયજી, સંજોગવશાત્ પાછા ફરી શક્યા નહિ. પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી તથા અન્ય કેટલાક મહાત્માઓ પણ આવી ન શક્યા. ખંભાતમાં ઉપચાર ચાલતા હતા, પરંતુ હૃદયરોગ વધુ ઉગ્ર બન્યો હતો. પૂ. મહારાજશ્રી સમજી ગયા હતા કે આ હવે એમના અંતિમ દિવસો છે. એમને એક હૉલમાંથી બીજા ઓરડામાં લઈ જવામાં આવ્યા ત્યારે એમણે કહ્યું, “ભાઈ, મારે હલ નહિ હવે તો ઘર બદલવાનું છે.” વેશાખ વદ ૧૧ ને રાત્રે ૧૦-૩૦ કલાકે એમણે સમાધિપૂર્વક, નવકારમંત્રની ધૂન સાંભળતાં દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસના સમાચાર તરત ચારે બાજુ પ્રસરી ગયા અને એમના અનેક ભક્તો ખંભાત આવી પહોંચ્યા. બીજે દિવસે સવારે એમના પ્રથમ અને પટ્ટધર શિષ્ય પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ બધી વિધિ કરી અને બપોરે વિજય મુહૂર્તે એમની પાલખી નીકળી. એ પ્રસંગે હજારો માણસો એમાં જોડાયા હતા. (પૂ. મહારાજશ્રીના શિષ્યો અને અગ્રગણ્ય શ્રાવક ભક્તો એટલા બા હતા કે તે દરેકનાં વ્યક્તિગત નામ લખવાનું શક્ય નથી.). પૂજ્ય મહારાજશ્રીના કાળધર્મથી જૈન શાસને આ યુગના એક મહાન, તેજસ્વી પ્રભાવક આચાર્ય ભગવંત ગુમાવ્યા છે. પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ એમને અંજલિ આપતાં લખ્યું છે કે “નમ્રતા વિના વિનયગુણ, જાતને ભૂલ્યા વિના વૈયાવચ્ચ ગુણ, તકલીફ ભોગવવાના નિર્ણય વિના સંયમપાલન ગુણ, સ્વાદને માર્યા વિના તપ ગુણ અને અંતર્મુખ બન્યા વિના સ્વાધ્યાય ગુણ આવે નહિ. આ મહાપુરુષ સંયમ સ્વીકાર્યા બાદ સંયમના પાયાના ગુણો એવા વિનય, વૈયાવચ્ચ, તપ, સંયમ અને સ્વાધ્યાયને જીવનના પ્રાણસમા બનાવી દીધાં હતાં. આ મહાપુરુષ જીવનમાં જે રીતે આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy