SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પૂ. મહારાજશ્રી પિંડવાડા, પાટણ, અમદાવાદ વગેરે સ્થળે ચાતુર્માસ કરી, રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ સ્થળે વિચારીને અમદાવાદ પધાર્યા. જીવનનાં આ પાછલાં વર્ષોમાં એમને હૃદયરોગ ચાલુ થયો હતો અને કેટલીક વાર છાતીમાં ભારે દુઃખાવો થતો. એમ છતાં તેઓ આહાર વગેરેની બાબતમાં સાધ્વાચારને લક્ષમાં રાખી પૂરી સાવધાની રાખતા. આ વિહાર દરમિયાન તેઓ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ઉત્સવો યોજાતા. અમદાવાદમાં હવે ગ્રંથપ્રકાશનનો મહોત્સવ થયો. પૂ. મહારાજશ્રીની ભલામણથી પૂ. શ્રી ભાનુવિજયજીએ સંસ્કૃત ભાષાવ્યાકરણ, પ્રાકૃત ભાષા-વ્યાકરણ, ન્યાયશાસ્ત્રમાં જે શિષ્યોને તૈયાર કર્યા તેમાં પૂ. શ્રી જયઘોષવિજયજી, પૂ. શ્રી ધર્માનંદવિજયજી, પૂ. શ્રી ગુણરત્ન વિજયજી, પૂ. શ્રી વીરશેખરવિજયજી એવા સજ્જ થઈ ગયા હતા કે તેઓને પૂ. મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ કર્મ સિદ્ધાન્ત અંગે ગ્રંથો તૈયાર કરવાનું કાર્ય સોંપી શકાય. અમદાવાદમાં બે મહાકાય ગ્રંથો તૈયાર થયા. “ખવગસેઢી' (ક્ષપકશ્રેણી) અને ઠિઈબંધો' (સ્થિતિબં:). આ બંને ગ્રંથોને હાથી પર અંબાડી મૂકી ગૌરવયુક્ત મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પૂ. મહારાજશ્રીનું વિ. સં. ૨૦૨૩નું અંતિમ ચાતુર્માસ ખંભાતમાં થયું. એમની તબિયત અસ્વસ્થ રહેતી હતી. એટલે ચોમાસું ઊતરતાં એમના શિષ્યો પૂ. શ્રી રામચંદ્રસૂરિ, પૂ. શ્રી ભાનુવિજયજી, પૂ. શ્રી યશોદેવસૂરિ, પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી વગેરે ખંભાત આવી પહોંચ્યા. પરંતુ ચૈત્ર મહિનો થતાં દરેકને પોતપોતાના ચાતુર્માસ માટે તથા અન્ય કાર્યો માટે પૂ. મહારાજશ્રીએ વિહાર કરાવ્યો. પરંતુ થોડા દિવસમાં જ પૂ. મહારાજશ્રીની વધુ બગડેલી તબિયતના સમાચાર મળતાં પૂ. શ્રી રામચંદ્રસૂરિજી તરત પાછા ખંભાત પધાર્યા. પૂ. મહારાજશ્રી સાથે ત્રણ દાયકા કરતાં અધિક સમયથી સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy