SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૨૫ એકાઉન્ટન્ટ કાંતિલાલ અને પોપટલાલ પૂ. મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા પછી દીક્ષા લેવાના ભાવવાળા થયા. પૂ. મહારાજશ્રીએ તેઓને દીક્ષા આપી અને તેઓનાં અનુક્રમે નામ રાખવામાં આવ્યાં મુનિ શ્રી ભાનુવિજયજી અને મુનિશ્રી પદ્મવિજયજી. દરમિયાન પોતાની વૃદ્ધાવસ્થા અને વધતી જતી શારીરિક નબળાઈને લક્ષમાં રાખીને પ. પૂ. શ્રી દાનસૂરિ મહારાજે પૂ. મહારાજશ્રીને આચાર્યની પદવી અને પૂ. શ્રી રામવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવાનો નિર્ણય કર્યો. ઘણી આનાકાની પછી તેઓએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા માથે ચડાવી અને વિ. સં. ૧૯૯૧માં તેઓને રાધનપુરમાં મહોત્સવપૂર્વક એ પદવી આપવામાં આવી. આચાર્યપદે આરૂઢ થતાં જ પૂ. મહારાજશ્રીમાં એક વિશિષ્ટ પ્રકારનું ગાંભીર્ય આવી ગયું. માથે મોટી જવાબદારી આવી. તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. પણ હવે તેઓ તેમાં વધુ ઊંડા ઊતરવા લાગ્યા. વળી હવે શિષ્યોનો સાથ પણ મળવા લાગ્યો કે જેથી પરિશ્રમભરેલું કામ વહેંચાઈ જાય. પૂ. મહારાજશ્રીએ જ્ઞાનભંડારોની હસ્તપ્રતોનું સંશોધન કરીને “કર્મપ્રકૃતિ', “પંચસંગ્રહ', “નિશીથ ચૂર્ણિ' વગેરે ગ્રંથો સંપાદિત કરીને પ્રગટ કર્યા. તદુપરાંત “સંક્રમણકરણ”, “કર્મસિદ્ધિ', “માર્ગણાધાર' વગેરે ગ્રંથો પણ તૈયાર કર્યા. હવે પૂ. મહારાજશ્રીના જીવનમાં અગાઉ હતી તેથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા અને ત્યાગને સ્થાન મળવા લાગ્યું. તેઓ સ્વાધ્યાયની સાથે તપને જોડતા અને શિષ્યોને પણ તેમ કરવા પ્રેરણા કરતા. શિષ્યો માટે પંડિતની વ્યવસ્થા પણ કરાવતા. એમના શિષ્યો દિવસમાં દસપંદ૨ કલાક સ્વાધ્યાય કરતા. મહારાજશ્રીએ પહેલાં અમુક સમયમર્યાદા માટે અને પછી જીવન પર્યત મિઠાઈ, સૂકો મેવો, ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy