SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ બિલને અટકાવવાનું હતું. એમાં તેઓને સફળતા મળી અને ‘પ્રેમ’ અને ‘રામ’નાં નામ ઘરે ઘરે ગુંજવા લાગ્યાં હતા. અમદાવાદથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિહાર કરીને તેઓ કેટલાંક વર્ષે પાછા અમદાવાદ પધાર્યા. અહીં પૂ. મહારાજશ્રીને એમના દીક્ષાના અને ગણિપદના દિવસે જ એટલે કે કારતક વદ ૬ના દિવસે વિ. સં. ૧૯૮૧માં પંન્યાસ પદવી આપવામાં આવી. ૨૪ અમદાવાદમાં પૂ. મહારાજશ્રીએ પોતાના શિષ્ય પ્રખર વ્યાખ્યાનકાર પૂ. શ્રી રામજવિયજી સાથે ત્રણ ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસનાં પ્રવચનોથી કેટલાયે યુવાનોને જેમ દીક્ષાનો રંગ લાગ્યો હતો તેમ એમનાં સ્વજનોમાં દીક્ષાનો વિરોધ જાગ્યો હતો. એમ છતાં પૂ. મહારાજશ્રીનું પુણ્યબળ એટલું મોટું હતું કે ઉગ્ર વિરોધવંટોળમાં પણ તેમને પૂરી સફળતા મળી હતી અને એમનો શિષ્ય સમુદાય મોટો થતો જતો હતો. અમદાવાદથી વિહાર કરી પૂ. મહારાજશ્રીએ ખંભાત અને સૂરતમાં ચાતુર્માસ કર્યા. ત્યાં પણ સંખ્યાબંધ યુવાનોએ દીક્ષા લીધી અને એમના સ્વજનોનો ભારે વિરોધ રહ્યો. ત્યાર પછી વિહાર કરતા કરતા પૂ. મહારાજશ્રી પોતાના ગુરુ ભગવંત અને શિષ્ય સમુદાય સાથે મુંબઈ પધાર્યા. એમના હાથે દીક્ષિત થના૨ની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. પરંતુ પૂ. મહારાજશ્રીની ભાવના એવી રહેતી કે બધાંને પોતાના શિષ્યો બનાવવાને બદલે પોતાના શિષ્યોના શિષ્યો બનાવવા. મુંબઇમાં વિ. સં. ૧૯૮૭માં મહારાજશ્રીને ઉપાધ્યાયની પદવી અને પૂ. શ્રી રામવિજયજીને પંન્યાસની પદવી આપવામાં આવી. પૂ. મહારાજશ્રીના શિષ્યસમુદાયમાં કેટલાક તો શ્રીમંતાઇનો ત્યાગ કરીને આવ્યા હતા. મુંબઈ પછી અમદાવાદમાં સ્થિરતા થઈ તે દરમિયાન બે વિશિષ્ટ કોટિના યુવાન સગા ભાઈઓ ચાર્ટડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy